________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુષ્ટિ કરી અને જૈનધર્મના વિશેષ રીતે ઉદ્દેાત કર્યાં. અમા પેથાપુરમાં સાધુ અવસ્થામાં વિ. સં. ૧૯૬૧ માં પહેલ વહેલું, જવાનું થયું હતું. વિ. ૧૯૬૨ માં બીજીવાર જવાનું થયું અને ત્યાં માસ કલ્પ કરીને આત્મશક્તિપ્રકાશ ગ્રન્થ બનાવવામાં આવ્યા. તેમજ પેથાપુરમાં ભજન પદે પણ જોડવામાં આવ્યાં છે. આત્મપ્રકાશ ગ્રંથમાં આત્માની ઉન્નતિના અને આત્માની શુદ્ધિના વિચારા જણાવવાાં આવ્યા છે, અને આત્માને કના સંબંધ જણાવવામાં આવ્યે છે આત્માનું કેવી રીતે ધ્યાન ધરવું તે પણ જણાવવામાં આવ્યું છે. કાઈ કાઈ ઠેકાણે હયાગ પ્રાણાયામની સાથે રાજયોગનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. શુભાશુભ વિચારેામાંથી કેવી રીતે મુક્ત થવું અને આત્માના શુદ્ધ વિચાર કેવી રીતે કરવા તે જણાવવામાં આવ્યું છે. આત્મા અનંત શક્તિમાન છે તેનું સ્વરૂપ સમજાવવામાં આવેલું છે, તથા પુણ્ય અને પાપનું તથા છ ક્ષેશ્યાઓનું સ્વરૂપ જણાવવામાં આવેલું છે.
પરમાત્મામાં પેાતાનું ચિત્ત કેવી રીતે જોડવું તે પણ આ ગ્રન્થમાં જણાવવામાં આવ્યું છે. તથા આત્મામાં ઉપયેાગરૂપ સૂરતા કેવી રીતે રાખવી તે પણ જણાવવામાં આવ્યું છે. તથા
www.kobatirth.org
For Private And Personal Use Only