________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ આનંદઘનજી મહારાજ કૃત વીર પ્રભુના સ્તવનનું પ્રસંગોપાત્ત વિવેચન કરી રમાત્માનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે, અને છેવટે આત્મજ્ઞાનના યોગ્ય અધિકારી કોણ છે તે પણ જણાવવામાં આવેલું છે. જ્ઞાન તથા ક્રિયા થકી મોક્ષ થાય છે એમ છેવટે જણાવવામાં આવેલું છે. પેથાપુરમાં સં. ૧૯૬રના વૈશાખ શુદિ, ૩ ત્રીજે ગ્રંથ પૂર્ણ કર્યો એમ જણાવ્યું છે. સર્વ દર્શન ધર્મવાળા લોકોને આ ગ્રંથે ઉપયોગી થઈ પડે એવો છે. એકંદર આ ગ્રંથમાં આત્માની પરમાત્મદશા થવાની સત્ય યુક્તિ જણાવવામાં આવી છે. ગ્રંથમાં દર્શાવ્યા પ્રમાણે સર્વ દેશના મનુષ્ય જે આત્મશક્તિને પ્રકાશ કરવા ઈચ્છે છે તે કરી શકે અને પરમાત્મપદ કરી શકે તેમાં કાંઈ પણ સંદેહ નથી. સં. ૧૯૬૧ ની સાલમાં તથા સં. ૧૯૬૨ ની સાલમાં અમે પેથાપુર ગયા ત્યારે ત્યાં સાબરમતીના કેરેમાં આત્મધ્યાન ધરવાની અનુકુળતા હોવાથી પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો અભ્યાસ સ્વશક્તિ અનુસાર પૂરજેસમાં ચાલતો હતો અને તે સાથે વ્યાખ્યાનની પ્રવૃત્તિ પણ દરરોજ ચાલતી હતી, અને નિર્લેપ રીતે લોક કલ્યાણ કરવાની ભાવના પણ પ્રવૃત્તિમાં મૂકાતી હતી, તેમજ આત્મશ
www.kobatirth.org
For Private And Personal Use Only