________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮ માત્ર ઉપર પ્રેમ કરવાથી અને તેમનું યથાશકિત હિત કરવાથી તેમને સદુપદેશદ્વારા સમ્યગમાર્ગ ચડાવવાથી તેમનું જેટલું હિત આપણે કરવા તત્પર થઈએ છીએ, તેના કરતાં તેમ કરવાથી અનંતગણું આપણું હિત ક૯યાણ કરીએ છીએ, તે લક્ષ્યમાં રાખજો. કારણ કે જે પ્રમાણમાં તમે અન્ય પ્રાણીઓનું હિત કરવા ઇચ્છે છે. તેના કરતાં વિશેષ પ્રમાણમાં નિર્મળ તમારો આત્મા પરમાત્મા રૂપ થયે હોય તે જ તમારી તેવા પ્રકારની પ્રવૃત્તિ થાય. તે વિના થઈ શકે નહીં તે ધ્યાનમાં રાખજો. તેથી સર્વ પ્રાણી માત્ર ઉપર પ્રેમ, દયા, કરૂણુ, સદુપદેશ કરવાથી પિતે પિતાનો જ મહા સ્વાર્થ સાધીએ છીએ. આમાનું જ ઉત્કૃષ્ટપદ આપણે મેળવવા સન્મુખ થયા છીએ, એમ તમને જરૂર જણાશે. આ વચનને અનુભવી જેશે, એટલે ખાતરી થશે. આત્મ ધર્મના સ્વભાવથી વિરૂદ્ધ સ્વભાવને અનુસરવાથી આપણે આત્મ ધર્મથી વધારે દૂર થઈ જઈએ છીએ. આમ હોવાથી પ્રાણી માત્ર ઉપર પ્રેમ કરે અને તેમનું યથાશક્તિ પ્રતિદિન હિત સાધવા પ્રયત્ન કરો. એજ પિતાને મહાવાર્થ છે અને એજ પરમકલયાણને માર્ગ છે. બાળક યુવાન અને વૃદ્ધ, જેગી, ભેગી, સંન્યાસી, સ્ત્રી પુરૂષ, રંક
www.kobatirth.org
For Private And Personal Use Only