________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
ભાગ છે તે પૂર્વભવમાં સેવેલી નઠારી વેશ્યાના વિચારે છે, એમ નક્કી સમજો. હવે એ દુઃખ તે વેશ્યાથી નિર્માણ થએલા કર્મથી ઉદયમાં આવ્યું છે. તે ભેગવવું પડે છે. દુનિયામાં અનેક જીવો સારો અગર નઠારા કર્મનાં ફળ ભોગવતા નજરે પડે છે તે સર્વે વિચારનું ફળ છે. મનુષ્ય જેવું ઈચ્છે છે તેવું વિચારથી પામે છે. જેવા વિચાર સેવવામાં આવે છે તેવો જીવ બની જાય છે. તમે ચિંતાના વિચારને સેવશો તે અલ્પ સમયમાં તમને જ્યાંથી ત્યાંથી ચિંતાનાં કારણે જ ઉભાં થએલા ભાસશે. વિચારનું સામર્થ્ય મનુષ્યો જાણે છે તે કરતાં મેટું છે. તમે રેગી છો, દરિદ્રી છો. તમારી જે કંઈ અપ્રિય સ્થિતિ તમને મળી હોય, તે સ્થિતિને પ્રાપ્ત કરવામાં તમે પોતે જ કારણભૂત છો. તમારા પૂર્વ ભવના વિચારે જ તમે જે ભગવે છે તે આપ્યું છે.
- દીવાના ઉપર કાળી હાંડી ઢાંકતા કાળે પ્રકાશ આવે છે તેમાં શું દીવાનો દેષ છે ? અથવા તેના ઉપર ઘડે ઢાંકતાં બીલકુલ પ્રકાશ પડે નહીં તેમાં શું દીવાને દેષ સમજવો ? કાળી હાંડીમાં કાળે પ્રકાશ, લીલામાં લીલા પ્રકાશ મળશે. ઘડામાં દી મૂકશે તે પ્રકાશ બંધ થશે.
www.kobatirth.org
For Private And Personal Use Only