________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહુ તંગ ન રાખશો. પણ સિદ્ધા ટટાર બેસતાં છતાં શરીરનાં સર્વ ગાત્રને શિથિલ કરજે. કારણ કે શરીરની શિથિલ અવસ્થામાં શરીરને વિશ્રાંતિ મળે છે, આસન વાળીને પૂર્વાભિમુખ વા ઉત્તરાભિમુખ બેસજો. શરીરની ક્રિયામાત્રથી રહિત થજો. એક પણ અવયવને હલાવશે નહિ. નેત્રની દ્રષ્ટિને બે ભ્રની મધ્યમાં સ્થાપજો.
એટલે ઉચા નેત્ર ન જાય તો સહજ ઉંચી ભ્રપ્રતિ દૃષ્ટિ સ્થાપજો, પછી આંખના પલકારા મારવા છેડી દેજો, શરીરને કેવળ ક્રિયા રહિત કરવાનું છે, માટે એ બાબતને પુનઃ પુનઃ યાદ કરાવવામાં આવે છે. ઉધરસ ખાવી, બગાસાં ખાવાં, મેં ઉપર માખી આવે તો તેને હાથવતે ઉડાડવી, એ વિગેરે શરીરની ક્રિયાઓ ડી ડી પણ ચાલતી રહે છે ત્યાં સુધી શરીર ક્રિયા વગરનું થતું નથી, અને પરિણામે શાંત અક્રિય અવસ્થા આપણે સાધવાની છે તે સધાતી નથી, માટે એક નાની અંગુલી પણ હલાવતાં સાવધાન રહેજો. થોડીવાર એક દષ્ટિએ ભૂમધ્યમાં જોઈ રહ્યા પછી નેત્રને શ્રમ જણાય એટલે ધીરેથી નેત્રને બંધ કરજો. અને લક્ષ ત્રિપુટીમાં સ્થિર ચિત્તથી રાખશે. કોઈ પણ વસ્તુની યાદી આવે નહીં તેમ કરશો. વળી ચિત્ત વારંવાર
www.kobatirth.org
For Private And Personal Use Only