________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
પ્રકાશ કરે છે, વિકાસ કરે છે, કારણ ભૂત થાય છે, પણ પ્રત્યક્ષપણે જાણવામાં પૂર્વોક્ત એ ત્રણનો પ્રસાર નથી, એટલે કારણભૂત નથી. આત્મસ્વરૂપનું પ્રત્યક્ષ જાણપણું એ ત્રણથી થતું નથી. પણ પ્રત્યક્ષપણે એવા શુદ્ધ સચ્ચિદાનંદમય આત્મ સ્વરૂપને અનુભવ જ્ઞાન જણાવે છે, દેખાડે છે. અહે તેને અપૂર્વ મહિમા શી રીતે વર્ણન કરી શકાય ! ! ખરેખર અનુભવજ્ઞાન તે કેવળ જ્ઞાનને નાના ભાઇ છે.
વળી તે અનુભવ જ્ઞાનનો મહિમા દર્શાવતા છતા કહે છે કે અલખ એટલે જેનું સ્વરૂપ લક્ષ્યમાં આવે નહીં એવું અને ઇન્દ્રિયોથી અગોચર એવું જે આત્મસ્વરૂપ તેના સત્ય રહસ્યને ભેદ કાણુ કહી– ન શકે. અર્થાત્ અનુભવ જ્ઞાનવિના આત્મસ્વરૂપનું યથાર્થ રહસ્ય જાણવા તથા કહેવા કાઈ સમર્થ નથી. સમ્યગ અનુભવ જ્ઞાન વિના ઉપરથી આત્મરવરૂપ જાણવું તથા તેનું કથન કરવું કંઈ હિસાબમાં નથી. સહજ સ્વભાવે વિશેષશુદ્ધ જે અનુભવજ્ઞાન આમા પ્રગટયું, અને એવા શુદ્ધ અનુભવજ્ઞાનથી અનુભવજ્ઞાની, સહજ વિશુદ્ધ આત્મસ્વરૂપને યથાર્થ જાણું તથા કહી શકે છે. માટે તે યથાર્થ શુદ્ધ અનુભવજ્ઞાન પ્રગટવાને વાતે સુત્ર શાનું ભણવું ગણવું છે, તે થકી એટલે શાથકી શુદ્ધ
www.kobatirth.org
For Private And Personal Use Only