________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩ અનુભવજ્ઞાન જે ન પ્રગટ થયું તે સઘળાં શાસ્ત્રો ખેદ તુલ્ય સમજવાં. કારણ કે સઘળાં શાસ્ત્રો આત્માનો અનુભવ થવામાં કારણ છે, અને શુદ્ધઅનુભવજ્ઞાન કાર્ય છે, કારણ રૂપ શા વાંચ્યાં પણ આત્માનું શુદ્ધ અનુભવજ્ઞાન રૂપ કાર્ય પ્રગટયું નહીં તે તે ખેદરૂપ જાણવાં. જેમ ગાયને ઘાસ ખવરાવવામાં આવે છે, તે દૂધની આશાએ પણ ઘાસથી દૂધ રૂપ કાર્ય સફળ ન થયું તે ઘાસ ખવરાવવું તે ખેદને પ્રગટાવે છે, તેમ અત્ર સમજવું. માટે અનુભવજ્ઞાન છે, તે ઘત સમાન છે. જેને શુદ્ધ અનુભવજ્ઞાન પ્રગટયું છે. તે સિદ્ધાત્માની પેઠે પ્રત્યક્ષ સુખ ભોગવે છે
વળી અનુભવજ્ઞાનની સ્તુતિ કરતા કહે છે કે
“દિસિ દેખાડી શાસ સર્વે રહે સર્વ શાસ્ત્ર, આત્મરૂપને રસ્તે દેખાડે છે. ભવ્ય પ્રાણીઓ જે તમારે આત્માનો ખપ હોય તો અમુક રસ્તે જાએ એમ દિગદર્શન કરાવી આધાં રહે છે, પણ તે અગેચર વાતને પામી શકતાં નથી. એટલે સર્વ શાસ્ત્ર પ્રત્યક્ષપણે આત્મસ્વરૂપ જણાવવા તથા દેખાડવા સમર્થ નથી, પણ કાર્યને એટલે ક્ષાયિકભાવે અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્યને ઉતપાદક અને કોઈ પણ પ્રકારની બાધા રહિત અનુભવજ્ઞાન
www.kobatirth.org
For Private And Personal Use Only