________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ્તુઓથી સુખ થતું નથી, અને તે વસ્તુઓ પિતાની સાથે પરભવમાં આવતી નથી એમ જાણે છે ત્યારે પિતાની ભૂલ સમજે છે. પ્રિયસાધકે ! સાંસારિક પદાર્થોને અનુભવ કરતાં હવે તમને ખરી ખાતરી થઈ હશે કે બાહ્ય વસ્તુઓમાં સુખ નથી. સુખ તો આત્મામાં છે. માટે હવે તમે સુખ, આત્મામાં શે. ધ્યાનધારા આત્મામાં સુખ શોધતાં તમને સત્ય સુખ સંપ્રાપ્ત થશે. આ વચન ધ્રુવના તારાની પેઠે હદયમાં સ્થિર કરજો અને આત્માની સન્મુખ વળજે, પ્રિયભાઈ!! તમને આત્માના સ્વરૂપની વાટે વળતાં અને આત્મધ્યાનના રસ્તામાં ચાલતાં મિત્રોની મુલાકાત થશે. શું મિત્રાની; હા મિત્રોની મુલાકાત, ત્યારે તે મિત્રોનાં નામ શો છે ! સાંભળો. ક્રોધ, માન, માયા, અને લોભ, એ ચારની ચેકડી કહેવાય છે, તે તમારી પાસે આવી તમને રસ્તામાંથી પાછા વાળશે. પણ તમે તેને ખરા મિત્રો ધારશો નહી હો !!! એ ચાર, ચંડાળ ચેકડી જેવા મિત્રો છે-એ ચારમિત્રોએ તમને આડા માર્ગ વાળી ચારાશી લાખછવાયોનિમાં અનંતિવાર પરિભ્રમણ કરાવ્યું છે. હજી એ ચંડાળ ચોકડી તમને છેતરી આડામાર્ગ લેઈ જશે. માટે વારંવાર કહેવામાં આવે છે કે એ ચાર કપાયરૂપ ચંડાળાકડીના સામું પણ જોશે નહિ.
www.kobatirth.org
For Private And Personal Use Only