________________
૫૦૩
બીજે અનુયાગ કરણનુયાગ છે:–એમાં ચાર ગતિનું સ્વરૂપ તથા લોકનું સ્વરૂપ બતાવ્યું છે. જેની અવસ્થાના ભેદ, ગુણસ્થાન અને માર્ગણસ્થાનું કથન તથા કર્મોને બંધ, ઉદય, સત્તા આદિતું નિરૂપણ છે. આત્માની અવસ્થાઓ કર્મના સાગથી ભિન્ન ભિન્ન પ્રકારની થાય છે તે સર્વ હિસાબ તેમાં બતાવ્યો છે. અધ્યાત્મજ્ઞાન માટે આ જ્ઞાનની બહુ આવશ્યકતા છે. જે ગુણસ્થાનને સમજે તે જ બરાબર જાણી શકે કે સમ્યગ્દષ્ટિ કઈ અપેક્ષાએ બંધક અને કઈ અપેક્ષાએ અબંધક છે, તથા કર્મબધ કયા ગુણસ્થાનક સુધી હોય છે, અને કર્મોની અવસ્થા કેવી રીતે બદલી શકાય છે. આ આત્મજ્ઞાનને બહુ સહકારી છે, કર્મ પુદ્ગલની સંગતિથી જીવના. સઘળા વ્યવહારનૃત્યનું દિગ્દર્શન આ અનુયોગથી થાય છે.
ત્રીજો અનુગ ચરણાનુયોગ છે - મન વચન કાયાને સ્થિર કરવા માટે, સ્વરૂપાચરણમય નિશ્ચયચારિત્ર પ્રાપ્ત કરવા માટે, જે જે વ્યવહારચાસ્ત્રિની આવશ્યકતા છે તે સર્વ આ અતુગમાં બતાવ્યું છે. સાધુનું ચારિત્ર, ગૃહસ્થ શ્રાવકનું ચારિત્ર, એ સર્વ વિસ્તાર પૂર્વક એવી રીતે બતાવ્યું છે કે દરેક સ્થિતિના માનવ પિતાની યોગ્યતા અનુસાર તેનું આચરણ કરી શકે, સહજ સુખનું સાધન કરતાં છતાં રાજ કર્તવ્ય, દેશરક્ષા કર્મ, વાણિજ્ય કર્મ, કૃષિ કર્મ, શિલ્પ કર્મ આદિ ગૃહસ્થને ગ્ય આવશ્યક કર્મ પણ કરી શકે, અને દેશપરદેશમાં નાના પ્રકારનાં વાહન દ્વારા મુસાફરી કરી શકે એમ લૌકિક ઉન્નતિ સર્વ પ્રકારની ન્યાયપૂર્વક કરતા છતા સહજ સુખનું સાધન કરી શકાય. જેમ જેમ વૈરાગ્ય વધતું જાય તેમ તેમ ચારિત્ર અધિક અધિક પાળી શકાય અને અધિક અધિક આત્મધ્યાનની ઉન્નતિ કરી શકાય.
ચેથ અનુગ દ્વવ્યાનુયોગ છેએમાં છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય, સાત તવ અને નવ પદાર્થનું વ્યવહારનયથી પર્યાયરૂપ