________________
૬૦%
જે મહાત્મા સર્વ પરિગ્રહને ત્યાગીને, એકાગ્ર થઈને પિતાના આત્માને શુદ્ધ સ્વભાવમય દેખે છે, જાણે છે, તે જ નિયમથી સ્વચારિત્ર કે નિશ્ચય ચારિત્રનું આચરણ કરે છે. तह्मा णिव्वुदिकामो राग सवत्य कुणदि मा किंचि । सो तेण वीदरागो भवियो भवसायरं तरदि ॥१७२॥
રાગ મેક્ષમાર્ગમાં બાધક છે એમ જાણીને ઈચ્છા માત્રની નિવૃત્તિ કરે. સર્વ પદાર્થોમાં જે કિંચિત પણ રાગ કરતા નથી તે જ ભવ્ય જીવ સંસારસાગરને તરી જાય છે.
(૩) શ્રી કુંદકુંદાચાર્ય સમયસારમાં કહે છે – आयारादी गाणं जीवादी दंसणं च विण्णेयं । छज्जीवाणं रक्खा भणदि चरितं तु ववहारो ॥२७६॥ आदा खु मज्झणाणे आदा मे दंसणे चरित्ते य । आदा पञ्चक्खाणे आदा मे संवरे जोगे ॥२७७॥
આચારાંગ આદિ શાસ્ત્રનું જ્ઞાન વ્યવહાર સમ્યજ્ઞાન છે, જીવાદિ તરવાનું શ્રદ્ધાન વ્યવહાર સમ્યગ્દર્શન છે, છકાય જીવોની રક્ષા વ્યવહાર સમ્યક્રડ્યારિત્ર છે. નિશ્ચયથી તે મારો આત્મા જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર છે. મારે આત્મા જ ત્યાગ છે, સંવર છે અને ધ્યાનરૂપ છે.
(૪) શ્રી કુંદકુંદાચાર્ય દ્વાદશભાવનામાં કહે છે – एयारसदसमेयं धम्म सम्मत्तपुव्वयं भणियं । सागारणगाराणां उत्तमसुहसंपजुत्तेहिं ॥६८॥
ઉત્તમ સુખના ભોક્તા એવા ગણધરેએ શ્રાવક ધર્મ અગિયાર પ્રતિમાપ અને મુનિને ધર્મ દશ લક્ષણરૂપ સમ્યગ્દર્શનપૂર્વક કહ્યો છે. दसणवयसामाइयपोसहसञ्चित्तरायभत्ते य । बम्हारंभपरिग्गहअणुमणमुट्ठिदेसविरदेदे ॥६९॥