________________
પ૩પ
કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થનાં સાધનાનું કથન છે, જીવનચરિત્રે છે અથવા ત્રેસઠ મહાપુરુષનાં ચરિત્રરૂપ પુરાણ છે; જેનાથી પુણ્ય આશ્રય મળે છે અને રત્નત્રય અને ધ્યાનને ભંડાર છે. વીસ તીર્થકર, બાર ચક્રવતી, નવ બળભદ્ર, નવ નારા યણ, નવ પ્રતિનારાયણ, એ ત્રેસઠ મહાપુરુષ કહેવાય છે. लोकालोकविभक्तेयुगपरिवृत्तेश्चतुर्गतीनां च । आदर्शमिव तथामतिरवैतिकरणानुयोगं च ॥ ४४ ॥
કરણનુયોગ તેને કહે છે કે જે લેક અને અલોકના વિભાગને, કાલના પરિવર્તનને, ચારગતિના સ્વરૂપને દર્પણ સમાન પ્રગટ કરે છે, સમ્યજ્ઞાન એમ જાણે છે, गृहमध्यनगाराणां चारित्रोत्पत्तिवृद्धिरक्षाङ्गम् । चरणानुयोगसमयं सम्यग्ज्ञानं विजानाति ॥ ४५ ॥
જેમાં ગૃહસ્થ અને મુનિઓના આચરણની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાનું કથન હેય તે ચરણનુગ છે એમ સમ્યજ્ઞાન જાણે છે.
जीवाजीवसुतत्त्वे पुण्यापुण्ये च बंधमोक्षौ च ।। द्रव्यानुयोगदीपः श्रुतविद्यालोकमातनुते ॥ ४६ ।।
દવ્યાનુગરૂપી આગમ એ છે કે જીવ અજીવ તને, પુણ્ય પાપના સ્વરૂપને, બંધ તથા મેક્ષને ભાવકૃતના પ્રકાશને અર્થાત આત્મજ્ઞાનને પ્રગટ કરે.
(૧૪) શ્રી સમતભાચાર્ય આમીમાંસામાં કહે છે - तत्त्वज्ञानं प्रमाणं ते युगपत्सर्वभासनम् । क्रमभावि च यज्ज्ञानं स्याद्वादनयसंस्कृतम् ॥ १०१ ॥
હે જિનેન્દ્ર! આપનું કેવલજ્ઞાન તે પ્રમાણ જ્ઞાન છે. તેમાં એક સાથે સર્વ પદાર્થ ઝળકે છે. જે અલ્પજ્ઞાનીઓના ક્રમવત જ્ઞાન