________________
18
આપણને આ રસ ભરપૂર રીતે પીવા મળશે એવી શ્રદ્ધા છે.
પૂજ્યપાદ આનન્દઘનજી મહારાજના પદો પર અનુપ્રેક્ષા-યાત્રા પૂ. યોગનિષ્ઠ આચાર્ય ભગવન્ત બુદ્ધિસાગર સૂરિ મહારાજ તથા શ્રાદ્ધવર્ય મોતીચંદ ગીરધરલાલ કાપડિયાએ કરી હતી.
પં. શ્રી મુક્તિદર્શનવિજયજી અને શ્રી સૂર્યવદનભાઈ દ્વારા વિવેચિત આ બહુ સંખ્યક વાચકો સુધી પહોંચે એ જ અભિલાષા. ‘સગુરા હોય સો ભર ભર પીએ.’
પદો
પં. શ્રી મુકિતદર્શનવિજયજી ના શ્રી આનંદઘનજીના પદો અને સ્તવનો પરનાં પ્રવચનોમાં ભાવકો જે પ્રીતિથી જોડાતા હતા એ સમાચાર મનમાં પરિતોષ જન્માવે છે. ગણિવર શ્રી યશોવિજયજીનાં પૂ. ચિદાનન્દજીના પદો પરના પ્રવચનના સમાચારે આ પરિતોષ બેવડાય છે.
આવા ગ્રન્થો પરની અનુપ્રેક્ષા યાત્રા જૈન સંઘમાં ખૂબ વધે એવી મંગળકામના સાથે.....
જ્ઞાનપંચમી, વિ. ૨૦૬૨.
- આચાર્ય યશોવિજયસૂરિ
આરાધના ભવન,
ઉમરા, સુરત.