________________
16.
તાન આનન્દઘન....”
પ્રાણ પણ પ્રભુ અને તાન-તલ્લીનતા પણ પ્રભુ. અસ્તિત્વ છે પ્રભુ...
યાદ આવે આ પંકિત : આનન્દઘન બિન પ્રાણ ન રહત ઝિન, કોટિ જતન કરી લિજે...”() કરોડો પ્રયત્નો કરું તો પણ પ્રભુ વિના એક ક્ષણ પ્રાણ રહે તેમ નથી. પ્રભુમયતાની તીવ્રતાની ક્ષણો અહીં નોંધાઈ છે :
(૭)રાજ આનન્દઘન, કાજ આનન્દઘન, સાજ આનન્દઘન, લાજ આનન્દઘન... આભ આનન્દઘન, ગાભ આનન્દઘન,
નાભ આનન્દઘન, લાભ આનન્દઘન.. ભકતનું સામ્રાજય આનન્દઘનતા છે. “રાજ આનન્દઘન’ પ્રભુ ન હોય તો જીવન પણ શું છે ? રાજ્ય તો કાંઈ જ નથી.
શિવાજી મહારાજે સંત તુકારામજીને ગુરુપદે સ્થાપવાનું વિચાર્યું. પોતાના દિવાનને તુકારામ મહારાજને રાજસભામાં લાવવા મોકલ્યા. દીવાને ઘણું કહ્યું. તુકારામજીએ સ્પષ્ટ ના પાડી.
દીવાનના ગયા પછી પ્રભુ આગળ રડી પડતાં તુકારામ બોલેલા : પ્રભુ ! મને તો તારાં ચરણો જ જોઈએ. એ સિવાય કશું મારે ન જોઈએ. ‘વિઠા ! તુઝા માઝા રાજ.' પ્રભુ ! તારું અને મારું આ સામ્રાજ્ય !
રાજ આનન્દઘન, કાજ આનન્દઘન...” કરવાનું શું રહ્યું હવે ? પ્રભુ મળ્યા. બધું કાર્ય પૂર્ણ થયું.
સાજ આનન્દઘન.” મંઝિલ પણ “એ” અને માર્ગ પણ “એ....” સાજ-સાધન-માર્ગ પણ પ્રભુ અને લાજ પણ પ્રભુ.
ભક્તને ક્યારેય લજાવાનું નથી હોતું. એ તારે તો ઠીક ન તારે તોય
(૬) પદ ૯૨/૩
(૭) પદ પ૨/૨-૩