________________
15
છે. પણ અહીં નિશ્ચયની મુખ્યત) હોઈ સીધો જ આત્મગુણોના સ્પર્શની વાત છે.
ચોથા ચરણે કર્તુત્વનો છેદ ઊડે છે : “ના હમ કરતા, ના હમ કરવી...' નથી તો વિભાવોનું કર્તુત્વ મારી પાસે કે નથી વિભાવોની ક્રિયા...
ના હમ કરની” દ્વારા એક સરસ પ્રાયોગિક સાધના મળી શકે. વિભાવોની દેખીતી ક્રિયા - ખાવા, પીવા આદિની – ચાલતી હોય ત્યારે સાધક એ ક્રિયા સાથે પોતાની જાતને એકાકાર ન બનાવે.
ખાતી વખતે સાધક ઉપયોગને કોઈ સ્તવનમાં કે પ્રાર્થનાસૂત્રમાં રાખી
શકે.
- પાંચમા ચરણે આત્મ તત્ત્વ ઈન્દ્રિયો દ્વારા અગ્રાહ્ય છે એ વાત બતાવી. છે. ન આત્માને જોઈ શકાય, ન સ્પર્શી શકાય, કે ન રસ કે ગંધ એને અનુભવી. શકાય.
* શું છે આત્મતત્ત્વ ? આનંદઘન ચેતનમય મૂરત....” ચેતન્યથી છલકાતું આનંદઘનત્વ છે આત્મતત્ત્વ.
નેતિ-નેતિનો લય પરમાત્મ-પંચવિંશતિકા'માં પણ સરસ પકડાયો છે :
ન સ્પર્શો યસ્ય નો વર્ણો, ન ગન્ધો ન રસ: શ્રુતિઃ | શુદ્ધચિન્માત્ર ગુણવાન,
પરમાત્મા સ ગીત /પા ‘નેતિ-નેતિ ને સમાન્તર ચાલે છે “તૂહિ-તૃહિ' નું સંગીત. કેટલી તો સરસ રીતે એ અહીં છેડાયું છે !
“મેરે પ્રાન આનન્દઘન, (પ)
(૫) પદ પ૨/૧