________________
13
પિયાલા પીઓ મતવાલા, ચીને અધ્યાતમ વાસા....(૨) સદ્ગુરુના વરદ્ હસ્તે અગમ પિયાલો પીવાયો; ને ભીતરની દુનિયામાં સ્થિર થઈ જવાયું. રવિ સાહેબ એક પદમાં સટ્ટર દ્વારા અપાતા રસને આ રીતે વર્ણવે છે :
સ@એ શ્રવણે રસ રેડ્યો,
ચાંખો રૂદિયા માંહિ; સંઘે સંઘે રસ સંચર્યો,
ઉત્સુન રહ્યો ઠેરાઈ... અસ્તિત્વના સાંધે સાંધે એ રસ ઊતરે છે, ફેલાય છે અને મનને પેલે પારના પ્રદેશમાં - આત્મતત્ત્વની રમણતામાં - તે રસ ઝર્યા કરે છે.
- આ ભૂમિકામાં છે નિરન્તર ખેલ. ‘આનંદઘન ચેતન હૈ ખેલે છે. આ આનન્દમય ભૂમિ, કર્તુત્વની ભૂમિકા છૂટી ગઈ છે. તે સાક્ષીભાવની ભૂમિકા. અસ્તિત્વ તરફની યાત્રા. એ યાત્રાનો વિજય શંખ: “ના હમ કરતા) વિભાવનું કર્તુત્વ ગયું.
એક સિદ્ધ પુરુષને પૂછાયેલું : આપ પહેલાં પણ ભોજન આદિ કરતા હતા. અત્યારે પણ - શરીર હોવાને લીધે - તે ક્રિયાઓ ચાલુ છે. ફરક કયાં પડ્યો ?
એમણે કહેલું : પહેલાં હું ખાતો હતો, પીતો હતો; હવે ખવાય છે, પીવાય છે. ક્રિયા રહી; કર્તાનો છેદ ઊડી ગયો..
વારંવાર રટવાનું મન થાય તેવું આ પદ : “ના હમ કરતા...” “હું ના છેલ્લા વર્તુળ સુધી આ પદ જવું જોઈએ. ‘ના હમ કરતા... ના હમ કરતા...' હું વિભાવોનો કર્તા નથી.
(૩) પદ ૨૮/૫ (૪) પદ ૨૯/૩