________________
12.
પ્રસ્તાવના
અગમ પિયાલા :
અનુભૂતિને શબ્દોમાં ઢાળવી... કેટલું તો કપરું આ કામ છે ! પૂજ્ય. આનંદઘનજી મહારાજે એક પદમાં આનો ઈશારો આપ્યો છે : “અનુભવ ગોચર વસ્તુ કો રે, જાણવો એક ઈલાજ કહન સુનન કો કઇ નહિ પ્યારે, આનન્દઘના
મહારાજ.”(૧)
અનુભૂતિગમ્ય તત્વ : ન તો એને કહી શકાય, ન એને સાંભળી શકાય. ‘કહન સુનન કો કછુ નહિ પ્યારે...'.
તો શું કરી શકાય ? તમે એને અનુભવી શકો અને આત્મતત્ત્વ કે પરમાત્મતત્વની અનુભૂતિ તો આનન્દઘનતામાં જ ફેરવાશે ને !
હા, તમે જ આનન્દઘન છો. આનદનું એક દિવ્ય ઝરણું તમારી ભીતરથી ઝમઝમ કરતુંક વહ્યા કરે છે.
દિવ્ય આનન્દલોકમાં સાધકનો પ્રવેશ. મહોપાધ્યાય યશોવિજય મહારાજે આ ભીતરી લોકમાં પ્રવેશવાની વિધિનું મોહન વર્ણન કર્યું છે : “જસ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે...”
સદ્ગર સાધકના આજ્ઞાચક્રને સ્પર્શી ભીતરી લોકનાં તાળાં કેવી રીતે ખોલી આપે છે એનું આ મઝાનું ધ્યાન.
આનન્દઘનજી મહારાજ સાધકને ભીતરી લોકમાં શી રીતે લઈ જાય છે; એક સક્ષમ સદ્ગુરુ તરીકે; એની કેફિયત અઠચાવીસમા પદમાં છે. “અગમાં
(૧) પદ ૨૧/૫
(૨) પદ ૨૮/૪