Book Title: Parampaddai Anandghan Padreh Part 01
Author(s): Suryavadan T Zaveri
Publisher: Shreyaskar Andheri Gujarati Jain

View full book text
Previous | Next

Page 13
________________ 12. પ્રસ્તાવના અગમ પિયાલા : અનુભૂતિને શબ્દોમાં ઢાળવી... કેટલું તો કપરું આ કામ છે ! પૂજ્ય. આનંદઘનજી મહારાજે એક પદમાં આનો ઈશારો આપ્યો છે : “અનુભવ ગોચર વસ્તુ કો રે, જાણવો એક ઈલાજ કહન સુનન કો કઇ નહિ પ્યારે, આનન્દઘના મહારાજ.”(૧) અનુભૂતિગમ્ય તત્વ : ન તો એને કહી શકાય, ન એને સાંભળી શકાય. ‘કહન સુનન કો કછુ નહિ પ્યારે...'. તો શું કરી શકાય ? તમે એને અનુભવી શકો અને આત્મતત્ત્વ કે પરમાત્મતત્વની અનુભૂતિ તો આનન્દઘનતામાં જ ફેરવાશે ને ! હા, તમે જ આનન્દઘન છો. આનદનું એક દિવ્ય ઝરણું તમારી ભીતરથી ઝમઝમ કરતુંક વહ્યા કરે છે. દિવ્ય આનન્દલોકમાં સાધકનો પ્રવેશ. મહોપાધ્યાય યશોવિજય મહારાજે આ ભીતરી લોકમાં પ્રવેશવાની વિધિનું મોહન વર્ણન કર્યું છે : “જસ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે...” સદ્ગર સાધકના આજ્ઞાચક્રને સ્પર્શી ભીતરી લોકનાં તાળાં કેવી રીતે ખોલી આપે છે એનું આ મઝાનું ધ્યાન. આનન્દઘનજી મહારાજ સાધકને ભીતરી લોકમાં શી રીતે લઈ જાય છે; એક સક્ષમ સદ્ગુરુ તરીકે; એની કેફિયત અઠચાવીસમા પદમાં છે. “અગમાં (૧) પદ ૨૧/૫ (૨) પદ ૨૮/૪

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 490