SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 12. પ્રસ્તાવના અગમ પિયાલા : અનુભૂતિને શબ્દોમાં ઢાળવી... કેટલું તો કપરું આ કામ છે ! પૂજ્ય. આનંદઘનજી મહારાજે એક પદમાં આનો ઈશારો આપ્યો છે : “અનુભવ ગોચર વસ્તુ કો રે, જાણવો એક ઈલાજ કહન સુનન કો કઇ નહિ પ્યારે, આનન્દઘના મહારાજ.”(૧) અનુભૂતિગમ્ય તત્વ : ન તો એને કહી શકાય, ન એને સાંભળી શકાય. ‘કહન સુનન કો કછુ નહિ પ્યારે...'. તો શું કરી શકાય ? તમે એને અનુભવી શકો અને આત્મતત્ત્વ કે પરમાત્મતત્વની અનુભૂતિ તો આનન્દઘનતામાં જ ફેરવાશે ને ! હા, તમે જ આનન્દઘન છો. આનદનું એક દિવ્ય ઝરણું તમારી ભીતરથી ઝમઝમ કરતુંક વહ્યા કરે છે. દિવ્ય આનન્દલોકમાં સાધકનો પ્રવેશ. મહોપાધ્યાય યશોવિજય મહારાજે આ ભીતરી લોકમાં પ્રવેશવાની વિધિનું મોહન વર્ણન કર્યું છે : “જસ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે...” સદ્ગર સાધકના આજ્ઞાચક્રને સ્પર્શી ભીતરી લોકનાં તાળાં કેવી રીતે ખોલી આપે છે એનું આ મઝાનું ધ્યાન. આનન્દઘનજી મહારાજ સાધકને ભીતરી લોકમાં શી રીતે લઈ જાય છે; એક સક્ષમ સદ્ગુરુ તરીકે; એની કેફિયત અઠચાવીસમા પદમાં છે. “અગમાં (૧) પદ ૨૧/૫ (૨) પદ ૨૮/૪
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy