SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ તેમજ આત્મપ્રેમી પંડિતવર્ય શ્રી પુનમચંદભાઈ પંડિતજીએ આપેલ પ્રોત્સાહક સહયોગનું હૃદયથી અભિવાદન કરીએ છીએ. તેઓશ્રીએ પોતાના કિંમતી સમયનો ભોગ આપી જે કાર્ય કરેલ છે તે બદલ તેમના ઋણી છીએ. પ્રસ્તુત કાર્યમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીના પ્રેરણા અને માર્ગદર્શન પણ સહાયક બન્યા છે. અંતેવાસી તરીકે રહીને સેવાધર્મ બજાવનાર જ્ઞાનરુચિ સ્થિતપ્રજ્ઞવિજયજી, અત્યંત સેવાભાવી સોહમદર્શનવિજયજી તથા પરમ વિનયી પ્રશમરતિવિજયજી નો સહયોગ પણ અત્રે યાદ આવ્યા કરે છે. યોગીરાજના પદ સાહિત્યના મર્મને પામવા એક એક પદ ઉપરનું વિવેચન, ખૂબજ શાંતિથી એકાંતમાં કુદરતના ખોળે બેસી ચિંતન-મનન કરવા યોગ્ય છે. જ્યાં સુધી એક પદનો મર્મ આત્મસાત ન થાય ત્યાં સુધી બીજા પદનું વિવેચન વાંચવાની ઉતાવળ જો જરાપણ ન કરવામાં આવે તો જ પ્રસ્તુત લખાણ લાભદાયી થશે એવી જિજ્ઞાસુ પાઠકને ભલામણ છે. એજ, | In fશવાજો કંથાન: || પ્રાપ્ત સાહિત્ય અને સ્વ ક્ષયોપશમના આધારે મસ્ત ફકીર અવધૂતયોગીશ્રી પૂજ્ય આનંદઘનજી મહારાજાના પદોના ગહન ગૂઢ રહસ્યોને યથાશકિત પ્રકાશિત કરવાનો અનાયાસે થઈ ગયેલો આ નમ્ર પ્રયાસ છે. પૂર્ણ થયાં નથી, સર્વજ્ઞ બન્યા નથી ત્યાં સુધી છદ્મસ્થ છીએ અને તેથી ભૂલચૂક થઈ હોય, વીતરાગ સર્વાની વીતરાગ વાણીથી વિપરીત કાંઈ પ્રરૂપણા થઈ ગઈ હોય, દોષ સેવાયો હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડં! | II હવે તુ તિરાખ્ય! કેવળજ્ઞાની થવા માટે કેવળજ્ઞાની ભગવંતનો સાક્ષાત્ યોગ થાય અને . સત્ય પ્રકાશ પ્રાપ્ત થાય એવી અંતરે ! - સાંપ્રદાયિકતાથી ઉપર ઉઠી વિશાળદષ્ટિથી કરાયેલ અવલોકનથી. ઉદ્ભવતી ટીકા આવકાર્ય છે. નિ:સંકોચ ભૂલચૂક ચીંધશો જેથી સુધારાને ફેરફારને અવકાશ રહે ! પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરિ આજ્ઞાવર્તી ૫. મુનિદર્શનવિજય ગણિ વિ.સં. ૨૦૬૨ કાળુન કૃષણા નવમી, કુંથુનાથ જૈન દેરાસર - ઉપાશ્રય, શાંતાક્રુઝ (વેસ્ટ), મુંબઈ
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy