SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 10 થતાં અને એ સદ્ગત સાધક ખીમજીબાપાની અદમ્ય ઈચ્છાના પ્રતાપે અને પ્રભાવે યોગીરાજના પદોને હૃદયંગમ બનાવવા માટે થઈનેજ આ પરમપદદાથી આનંદઘન પદરેહ ભાગ-૧ અને ભાગ-૨નું નિર્માણ કોઈ તથાપ્રકારની ભવિતવ્યતાનુસાર અનાયાસેજ થઈ ગયું છે. પ્રસ્તુત ભાગ-૧ અને ભાગ-૨ ને બહાર પાડવામાં મારો એકલાનોજ ફાળો છે એવું માનવાની ભૂલ કોઈ પણ ન કરે. એકલો માણસ ક્યારે પણ કશુંજ કરી શકતો નથી. તેની પાછળ ઘણી વ્યક્તિઓના સાથ અને સહકાર રહેલા હોય છે. પ્રસ્તુત ભાગ-૧ અને ભાગ-૨ ના પ્રકાશનમાં શ્રીયુત્ સૂર્યવદનભાઈ જવેરીનો ફાળો અત્યંત નોંધ પાત્ર છે. તેઓ આ કાર્યમાં મારી સાથે દૂધમાં સાકર ભળે તેમ ખભે ખભા મીલાવી રહ્યા છે. ૧૧૦ પદોના આ વિવેચનમાં ૧ થી ૫૨ પદનું વિવેચન શ્રીયુત્ સૂર્યવદનભાઈની કલમે કંડારાયેલ છે. શબ્દચિત્ર તેમના દ્વારા આલેખાયેલ છે, જેમાં રંગોળી પૂરવાનું કામ મારા દ્વારા થયેલ છે જ્યારે બાકીના ૫૩ થી ૧૧૦ પદોનું વિવેચન મારા દ્વારા થયેલ છે, જેમાં રંગપૂર્તિ અને સંશોધનનું કાર્ય તેઓશ્રીએ કરેલ છે. દ્રવ્યાનુયોગના જ્ઞાતા ધ્રાંગધ્રાવાસી સ્વ. શ્રીયુત્ પનાલાલ જગજીવનદાસ ગાંધી એ તેઓશ્રીના ગુરુ છે જેમના સાંનિધ્યમાં રહી, તેમના અંતેવાસી બની તેઓએ તેમના દ્રવ્યાનુયોગના વારસાને પ્રબુદ્ધ જીવન માસિકના માધ્યમે જગતના જીવોના હિતાર્થે ઉદાર હાથે લૂંટાવેલ છે. જેના થકી જૈન શાસનને (૧) ત્રૈકાલિક આત્મવિજ્ઞાન અને (૨) સ્વરૂપ ઐશ્વર્ય યાને કેવલજ્ઞાન મિંમાંસા આ બે મહાન પુસ્તકો તેમજ સ્વરૂપમંત્ર પુસ્તિકાની ભેટ મળી. જે દ્રવ્યાનુયોગના મર્મને પામવા માટે ઉપયોગી છે. આજે જગત વકતાઓને ઓળખે છે પરંતુ પડદા પાછળ રહી આવું મહાન કાર્ય કરનાર ગૃહસ્થ વેશમાં રહેલ આત્માઓને ઓળખતુ નથી એ વાત ઘણી કઠે છે. પદ-૫૨, ઉપર જે વિવેચન સૂર્યવંદનભાઈ દ્વારા કરાયેલ છે તેને વાંચતા વાચકવર્ગને તેમના અંતરમાં રહેલ દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મના ઊંડાણનો ખ્યાલ જરૂર આવશે. પ્રસ્તુત ભાગ-૧ અને ભાગ-૨ ના પ્રકાશનમાં ગ્રંથવાચનની ભૂખ જગાડનારી એપિટાઈઝર જેવી પ્રસ્તાવનાઓ લખી આપી ગ્રંથનું પ્રાસ્તવિક આસ્વાદન કરાવનાર કવિહૃદયી પૂજ્યપાદ આ.ભ. શ્રી ચશોવિજયસૂરિજી મહારાજા, સહૃદયી પૂજ્યપાદ આ.ભ. શ્રી વિજયપ્રધુમ્નસૂરિજી મહારાજા, આત્મહૃદયી પંન્યાસ પ્રવર શ્રી ભાગ્યેશવિજયજી મહારાજ સાહેબ, શ્રેષ્ઠીવર્ય
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy