________________
ॐ अर्हनमः મહાવીર તત્વપ્રકાશ.
પ્રકરણ પહેલું. ૧.
આત્મ સ્વરૂપ. કર્મસંબંધરહિત, જ્ઞાનતત્વ, અમર, સહજ સ્વરૂપ સિદ્ધ પરમાત્માને, મારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે હું નમન
- વિશ્વમાં ચૈતન્ય અને જડ એ બે વસ્તુને મૂકીને બીજી કાંઈપણ વસ્તુ નથી. આત્મ સ્વભાવ પ્રગટ કરવાની ઈચ્છાવાળા છએ તેબન્નેનાં લક્ષણે જાણવાં જોઈએ. જેઓ આ બન્નેનાં સ્વરૂપને પરમાર્થ દષ્ટિએ જાણે છે તે અજીવને ત્યાગ કરી જીવતત્વમાં લીન થયા છે. જીવતત્વમાં લીન થતાં રાગદ્વેષનો નાશ થાય છે, રાગદ્વેષ દૂર થતાં નવીન કર્મો આવતાં અટકે છે અને પૂર્વે બંધાયેલાં કર્મો ઓછો થઈ જાય છે, આમ નવીન કર્મોનું બંધ થવાથી અને જુનાં કર્મોને નાશ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.