________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક રાત અનેક વાત - નાગિલાએ કબાટમાંથી અરીસો કાઢીને એમાં પોતાનું મુખ જોયું. તેના મુખમાંથી ચીસ નીકળી ગઈ. અરીસો તેણે કબાટમાં મૂકી દીધો. તેણે બે હાથમાં પોતાનું મુખ છુપાવી દીધું.
ના, ના, મારે એમની પાસે નથી જવું. એ મને ઓળખી જ નહીં શકે. એમના મનમાં મારું જે ચિત્ર છે, તે નાગિલા તો મરી ગઈ..” તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
તેની ચીસ સાંભળીને, વાસુકી એના ઓરડાના દ્વાર પાસે આવીને ઊભી રહી ગઈ હતી. તેની આંખોમાંથી આંસુઓ વહી રહ્યાં હતાં. જ્યારે નાગિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી, વાસુકી ઓરડામાં આવી. નાગિલાને પોતાના ખોળામાં લઈ લીધી.
ધીરે ધીરે નાગિલાનાં ડૂસકાં શાન્ત થયાં. તેણે વાસુકીને કહ્યું : “મા, આપણે એમનાં દર્શન કરવા નથી જવું...” | વાસુકી કાંઈ બોલી નહીં. તે પુત્રીની વેદનાથી વિહવળ હતી. નાગિલાની વ્યથા તેને વ્યથિત કરી રહી હતી. જાણે કે નાગિલાને ખ્યાલ આવી ગયો. તે વાસુકીની સામે બેસી ગઈ. તેણે પોતાની ઓઢણીના છેડાથી વાસુકીની આંખો લૂછી, પોતાના બે હાથમાં માનું મુખ લઈ તે બોલી : “મા, હું તને દુઃખી કરી રહી છું ને? તું મારું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે, હું તને દુઃખી...'
ના, ના બેટી, તું મને દુઃખી કરે ખરી? અમારાથી તારું દુ:ખ સહન નથી થતું.”
મા, તું શા માટે દુઃખી થાય છે? મારા પિતાજી પણ શા માટે દુઃખી થાય છે? એક દિવસ તેઓ જરૂર અહીં આ ગામમાં આવશે જ... મા, તેઓ મને એક ક્ષણ પણ નહીં ભૂલતા હોય..”
બેટી, એ તો સાધુ થઈ ગયા.. એ તને હવે શાના યાદ કરે? એ તો પરમાત્માનું સ્મરણ કરતા રહે.”
ભલે કરતા પરમાત્માનું સ્મરણ, મને એ નહીં ભૂલે.' વાસુકી નાગિલાને જોતી રહી-નાગિલા પોતાના જ શબ્દો પર વિચાર કરતી રહી – “શું એમણે મને નહીં ભૂલવી જોઈએ? ના, એ મને ભૂલી જાય એ જ સારું. એ સાધુ છે. એ મને ભૂલી જાય તો જ પરમાત્માના ધ્યાનમાં એમનું મન લાગે ને? હું એમને ન ભૂલું તે બરાબર છે, એમણે મને ભૂલી જવી જોઈએ.”
For Private And Personal Use Only