________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
એક રાત અનેક વાત - “હે કુમાર, આપની આજ્ઞા મને શિરોધાર્ય છે... પરંતુ મેં તો ધણાં ઘોર પાપ કર્યા છે, ધણા મનુષ્યોનો વધ કર્યો છે. ઘણા મનુષ્યોને લૂંટટ્યા છે... પીડ્યા. છે... ઘણા જીવોનાં ઘર સળગાવી દીધાં છે...'
“પ્રભવ, એ બધાં પાપોનું પ્રાયશ્ચિત્ત ચારિત્ર ધર્મ છે. ચારિત્ર ધર્મ અંગીકાર કરતાં, એ બધાં પાપોનું પ્રાયશ્ચિત્ત થઈ જાય છે. માટે જ ચારિત્ર ધર્મ, પાપોના મહાસાગરથી તારનારું જહાજ છે.
છે મિત્ર. તું ઘરે જાય છે... તારી પત્નીને જ્યારે તું આ વાત કરીશ... કે “હું દીક્ષા લઈશ, સાધુ બનીશ.' એ બેબાકળી બની જશે, કલ્પાંત કરશે. એ વખતે તું અધીર ન બનીશ. તું સ્નેહવિવશ ન બનીશ.
આ સંસારમાં જીવાત્મા, સ્નેહ-અનુરાગના કારણે જ દુઃખી થાય છે. રાગ કરીને અંતે ઝૂરી-ઝૂરીને જ મરવાનું છે. જેમ તેલની નિગ્ધતાથી તલ પિસાય છે તેવી રીતે રાગની નિગ્ધતાથી જીવ આ સંસારમાં પિસાય છે. પ્રભવ, તારો આત્મા જાગ્યો છે, તું જાગ્રત બન્યો છે. હવે તું ભ્રમિત નહીં બને; છતાં આ સંસાર વિષમ છે એટલે તને સાવધાન કરું છું.
સંસારના સર્વ સંબંધો મિથ્યા છે. એ સંબંધોનાં બંધન તોડી નાંખવાનાં છે. એ મિથ્યા સંબંધોથી જ જીવ સંસારમાં જન્મ-મરણ કરતો રહ્યો છે.
સાચો સંબંધ સાધુપુરુષનો છે. સાધુપુરુષો સાથે બાંધેલો સંબંધ આત્માને નિબંધન બનાવે છે.
હે પ્રભવ, તારે તારા સાથીદારોને પણ સાથે લાવવાના છે. તેમને પણ પ્રતિબોધ પમાડવાનો છે. કામ મોટું છે...' બૂકુમાર અવિરતપણે બોલી રહ્યા હતા. પ્રભવ એકાગ્ર બનીને સાંભળી રહ્યો હતો. પ્રભવે કહ્યું :
કુમાર, તમારી વાત સાચી છે. મારી સાથે રહેલા.. મારા આધારે રહેલા. સેંકડો પરિવારોને મારે સમજાવવા પડશે.”
જંબૂકુમારે કહ્યું : “પ્રભવ, મને લાગે છે કે તારે એમને બહુ નહીં સમજાવવા પડે. તારા ઉપરનો અનુરાગ જ તેમને ત્યાગના માર્ગે ચાલવા પ્રેરિત કરશે.'
સાચી વાત છે કુમાર, એ લોકોનો મારા પર અગાધ પ્રેમ છે! ભલે તેઓ ચોરી અને લૂંટફાટનાં ખોટાં કામ કરે છે, પરંતુ તેઓ સરળ પ્રકૃતિના લોકો છે. તેમને કોઈ સાચો માર્ગ સુઝાડનાર જોઈએ, તેમને સન્માર્ગે ચાલતાં વાર નહીં લાગે.”
“પ્રભવ, હું તો આજે જ શ્રી સુધમા સ્વામીનાં ચરણોમાં મારું જીવન સમર્પિત કરીશ... તું પાછો આવવામાં વિલંબ ના કરીશ...'
For Private And Personal Use Only