Book Title: Ek Rat Anek Vat
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 210
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬. એક રાત અનેક વાત કરવા શક્તિમાનું નથી, પરંતુ હું સારૂં ગૃહસ્થ જીવન જીવી શકું તે માટે માર્ગદર્શન આપવા કૃપા કરો.” મહાનુભાવ, તને શ્રમણજીવન ગમ્યું એ તારા આત્માની નિર્મળતા સૂચવે છે. ઘણો-ઘણો કર્મમળ નાશ પામે ત્યારે જીવાત્માને શ્રમણજીવન ગમે! તને શ્રમણજીવન ગમ્યું એટલે મોક્ષમાર્ગ ગમ્યો. મોક્ષમાર્ગ ગમ્યો એટલે મોક્ષ ગમ્યો. મહાનુભાવ, તારે પવિત્ર ગૃહસ્થ જીવન જીવવું છે, તો તારે પ્રથમ શ્રદ્ધાવાનું બનવું જોઈએ. તે પછી બાર વ્રત અંગીકાર કરવો જોઈએ. ગણધર ભગવંતે પ્રભુને સુદેવ, સુગુરૂ અને સદ્ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. પ્રભુને ગમી ગયું. તેના આત્મામાં સભ્ય – દર્શન – ગુણ પ્રગટી ગયો. તે પછી ગણધર ભગવંતે તેને બાર વ્રતોનું સ્વરૂપ સમજાવ્યું. પ્રભુએ બાર વ્રતોને સમજી લીધાં અને સ્વીકારી લીધાં. હે કરુણાવંત, હું આપને મારા વિંધ્યાચલના રાજ્યમાં પધારવા વિનંતી કરું છું. આપ જયપુર પધારો. અમારું નગર પાવન કરો. આહંદુ ધર્મનો ઉપદેશ આપી હજારો સ્ત્રી-પુરૂષોને સન્માર્ગ બતાવો.” પ્રભુએ ગણધર ભગવંતને વિનંતી કરી, જેવી ક્ષેત્રસ્પર્શના પ્રભુ!” ગણધર ભગવંતે પ્રત્યુત્તર આપ્યો. પ્રભુએ વંદના કરી અને તે જંબૂસ્વામી પાસે ગયો. જંબૂ સ્વામીને વંદના કરી એમની પાસે વિનયપૂર્વક બેઠો. જંબૂસ્વામીએ તેને “ધર્મલાભ” ના આશીર્વાદ આપ્યા. હે કૃપાનિધિ, અનુજ્ઞા આપો. આજે હું જયપુર તરફ રવાના થવા ઇચ્છું છું. આપનાં દર્શન કરી હું ધન્ય બની ગયો. ક્યારે આપનાં ચરણોમાં જીવન સમર્પિત કરી ધન્યાતિધન્ય બનીશ..? હે કૃપાળુ, ક્યારેક જયપુરને પાવન કરજો. મારા જેવા પાપીનો ઉદ્ધાર કરવા પણ પધારજો.” પ્રભુ રડી પડ્યો. તેણે ઊભા થઈ, બાજુમાં જ બેઠેલા પ્રભવ સ્વામીને વંદના કરી. અને તે ગુણશીલ ચૈત્યમાંથી બહાર નીકળી, પોતાના અશ્વ પર આરૂઢ થયો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218