________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવની દીક્ષા
૧૯૫ - કોઈ પણ વસ્તુ જમીન પર નાંખવી હોય, તો પહેલાં જમીન જોઈ લેવી. કોઈ
પણ જીવ મરે નહીં, પીડા ન પામે, એની કાળજી રાખીને નાંખવાની. - મનમાં પાપના વિચારો નહીં કરવાના. - સ્વ-પરને હિતકારી અને પ્રિય વચન બોલવાનાં. - અનાવશ્યક શારીરિક ક્રિયાઓ નહીં કરવાની.
હે આયુષ્યમ– શ્રમર્ણા, આ પાપમુક્તિનો સાચો માર્ગ છે. તમે આ માર્ગે ચાલશો તો અવશ્ય મુક્તિ પામશો. તમે સિવૃત્તિથી આ શ્રમજીવન અંગીકાર કર્યું છે, સિંહવૃત્તિથી જીવનપર્યત એનું પાલન કરવાનું છે. સ્વેચ્છાથી ઉપસર્ગો - કષ્ટ સહન કરીને કર્મ નિર્જરા કરવાની છે. કષ્ટો આવે ત્યારે કાયર ન બનશો. વીર બનીને કષ્ટ સહન કરજો. સમતાભાવથી કષ્ટો સહન કરનાર મહાત્મા સિદ્ધિગતિને પામે છે.
હે આયુષ્યમનું શ્રમણો, તમે એક ક્ષણ પણ પ્રમાદ ના કરશો. આપણે પ્રતિપળ અપ્રમત્ત બનીને જીવવાનું છે. પાંચેય ઇન્દ્રિયોને વશ કરવાની છે, કષાયોનો નિગ્રહ કરવાનો છે. જો તમે સ્વાધ્યાયમાં તમારા મનને પરોવશો તો તમે સહજતાથી કષાયવિજય મેળવી શકશો.
હે આયુષ્યમનું શ્રમણો, તમારે સર્વ પ્રકારનાં મમત્વનો ત્યાગ કરવાનો છે. નિઃસંગ બનીને જીવવાનું છે. તમારા વૈરાગ્યને સદૈવ નવપલ્લવિત રાખવાનો છે.”
ભગવાન સુધર્મા સ્વામીનાં વાત્સલ્યભય વચનોથી નૂતન સાધુઓના આંતરભાવ ઉલ્લસિત બન્યા, નિર્મળ બન્યા.
રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થયા પછી, સહુ વિધિપૂર્વક નિદ્રાધીન થયા.
મન્થએ વંદામિ!' વિંધ્યરાજ પ્રભુએ પ્રભાતે ગુણશીલ ચૈત્યમાં આવીને ગણધર ભગવંતને વંદના કરી. ગણધર ભગવંતે “ધર્મલાભ'ના આશીર્વાદ આપ્યા. પ્રભુએ પછી જંબૂ સ્વામીને અને પ્રભવ સ્વામીને વંદના કરી અને ગણધર ભગવંતનાં ચરણોમાં વિનયપૂર્વક બેઠો.
પ્રભવ સ્વામીએ આવીને સુધર્મા સ્વામીને વંદન કરી કહ્યું : “ભગવંત, આ મારો લઘુભ્રાતા વિંધ્યરાજ પ્રભુ છે.” પ્રભુએ મસ્તકે અંજલિ જોડીને કહ્યું : હે કૃપાવંત, મને નિષ્પાપ શ્રમણજીવન ગમ્યું છે, પરંતુ આજે હું એ ગ્રહણ
For Private And Personal Use Only