Book Title: Ek Rat Anek Vat
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 217
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૩ જંબુસ્વામીનું નિર્વાણ એક રાતનો ત્યાં વિશ્રામ કરી જયપુર તરફ પ્રયાણ કર્યું. રાજા પ્રજાજનોએ પ્રભવ સ્વામીનું જયપુરમાં ભવ્ય સ્વાગત કર્યું. જયપુરે ક્યારેય જે શણગાર નહોતા સજ્યા, તેવા શણગાર એ દિવસે સજ્યા હતાં, “અમારા રાજા સાધુજીવન સ્વીકારવાના છે, આ વાત સમગ્ર વિધ્યપ્રદેશમાં પ્રસરી ગઈ હતી, તેથી હજારો સ્ત્રી-પુરૂષો જયપુર ઊમટી પડ્યા હતા. પ્રભુની સાથે સેંકડો સ્ત્રી-પુરુષોએ પણ સંસારત્યાગ કરી પ્રભવ સ્વામીનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યું. કેટલાક દિવસ જયપુરમાં સ્થિરતા કરી પ્રભવસ્વામીએ મગધપ્રદેશ તરફ વિહાર કર્યો. ચિરકાળપર્યત પ્રભવસ્વામીએ જિનશાસનનું સફળ નેતૃત્વ કર્યું. પોતાના ઉત્તરાધિકારી શ્રી સ્વયંભવસૂરિને બનાવ્યા અને આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગવાસી થયા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 215 216 217 218