________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ જયપુરમાં
શાની અનુમતિ બેટા?' ચારિત્ર ધર્મ અંગીકાર કરવાની...” એટલે?' “પિતાજી, હું શ્રી સુધર્મા સ્વામીનાં ચરણે મારું જીવન સમર્પિત કરીશ. મારા શિરછત્ર બનશે જંબૂકુમાર મુનિ!'
“કોણ બૂકુમાર?'
“રાજગૃહીના નગરશ્રેષ્ઠી ઋષભદત્તના પુત્ર! તેમના જ સંપર્કથી. ઉપદેશથી મારૂં જીવન... મારું મન બદલાયું છે... એ મારા પરમ ઉપકારી છે...”
પ્રભવે વિંધ્યરાજને જંબૂકમારનો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. સાંભળતાં સાંભળતાં વિંધ્યરાજની આંખો ભીની થઈ ગઈ. પ્રભુ સ્તબ્ધ બની ગયો. પ્રભુએ કહ્યું :
“મોટાભાઈ, આ રાજ્ય હું આપના ચરણે સમર્પ છું. આપ રાજસિંહાસન પર આરૂઢ થાઓ. હું આપના ચરણોનો સેવક બનીને રહીશ, પરંતુ આપ દીક્ષા ન લો...'
પ્રભુએ પ્રભવના પગ પકડી લીધા. તે રડી પડ્યો. પ્રભવે પ્રભુના માથે હાથ ફેરવતાં કહ્યું :
પ્રભુ, રડ નહીં, આ રાજ્ય.... આ વૈભવ.. આ સંબંધો. બધું જ ક્ષણિક ભાસે છે. કાંઈ જ શાશ્વતું નથી... કે જેના માટે આજ દિન સુધી હું ગાંડો બનીને ભટકતો રહ્યો. પરંતુ એ જંબૂકુમારના પ્રતાપે મને મારી ભૂલ સમજાઈ... ને આ બાહ્ય જગતનાં સુખોનો મોહ દૂર થયો. અનંત ભ્રમણાઓમાંથી બહાર નીકળ્યો... અને એ મહાપુરુષની પ્રેરણાથી જ અહીં હું પિતાજીની અનુમતિ લેવા આવ્યો છું. મને એ મહાપુરુષે કહ્યું છે : “પ્રભવ, વિલંબ ના કરીશ, અનુમતિ લઈને જલદી આવી જજે !” એટલે, પિતાજી મને આશીર્વાદ આપો... બસ, માનવજીવનનો શ્રેષ્ઠ પુરુષાર્થ કરી લઉં!'
વિંધ્યરાજે કહ્યું : “વત્સ, તારો ચારિ ધર્મ સ્વીકારવાનો નિર્ણય સારો છે, સાચો છે.. પરંતુ.”
“પિતાજી, મેં કરેલાં ઘોર પાપોનું પ્રાયશ્ચિત્ત પણ સાધુ બન્યા વિના હું નહીં કરી શકું અને પાપોનું પ્રાયશ્ચિત્ત કર્યા વિના જ મૃત્યુ થઈ જાય તો જીવની અધોગતિ જ થાય. અનંત ભવિષ્યકાળ દુઃખમય બની જાય.”
For Private And Personal Use Only