________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ સાથે પલ્લીમાં
હું એ લોકોને પૂછું?' જરૂર! પૂછી જો.” પ્રભુએ એક જુવાનજોધ યુવકને ઇશારાથી પોતાની પાસે બોલાવ્યો. તે યુવકે આવી પ્રભુને પ્રણામ કર્યા.
જુવાન, તું પણ શું પ્રભવની સાથે દીક્ષા લઈશ? શું સાધુ થઈ જઈશ?' “હા.' સાધુ થઈને શું કરીશ?” જે સરદાર કહેશે તે!' તું ઉપવાસ કરી શકીશ?” હા.' “તું ભિક્ષા માંગી શકીશ?”
હા.”
તું ધર્મનું જ્ઞાન મેળવીશ?' “હા.” “તને નાહ્યા વગર ચાલશે?” “ચાલશે!' પ્રભુએ પ્રભવ સામે જોયું. તેના મુખ પર સ્મિત રેલાઈ ગયું. પ્રભવે કહ્યું :
હજુ તારે બીજાને બોલાવીને પૂછવું હોય તો પૂછ. આ લોકો મને પૂર્ણ વફાદાર છે. મારા માટે પ્રાણ આપી દેવાની તેમની તૈયારી છે... પછી શું જોઈએ?
“સાચો પ્રેમ છે!' પ્રભુએ પેલા યુવકને નમન કર્યું. યુવકે પણ નમન કર્યું, તે ચાલ્યો ગયો.
પ્રભુએ પ્રભવને પૂછ્યું :
મોટાભાઈ, ૪૯૯ સ્ત્રી-પુરુષો આપની સાથે દીક્ષા લેશે, પછી બહુ થોડા જ લોકો, કે જેઓ વૃદ્ધ છે, અપંગ છે, નાનાં બાળકો છે, તે જ રહેવાનાં. તેઓને અહીં રાખવાં છે કે જયપુર લઈ જાઉ?'
આપણે તેમને જ પૂછીએ. જો તેઓ જયપુર આવવા રાજી થાય તો ઘણું સારું. તો તને પણ એમની સંભાળ લેવી ફાવે.”
For Private And Personal Use Only