Book Title: Ek Rat Anek Vat
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 201
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ સાથે પલ્લીમાં હું એ લોકોને પૂછું?' જરૂર! પૂછી જો.” પ્રભુએ એક જુવાનજોધ યુવકને ઇશારાથી પોતાની પાસે બોલાવ્યો. તે યુવકે આવી પ્રભુને પ્રણામ કર્યા. જુવાન, તું પણ શું પ્રભવની સાથે દીક્ષા લઈશ? શું સાધુ થઈ જઈશ?' “હા.' સાધુ થઈને શું કરીશ?” જે સરદાર કહેશે તે!' તું ઉપવાસ કરી શકીશ?” હા.' “તું ભિક્ષા માંગી શકીશ?” હા.” તું ધર્મનું જ્ઞાન મેળવીશ?' “હા.” “તને નાહ્યા વગર ચાલશે?” “ચાલશે!' પ્રભુએ પ્રભવ સામે જોયું. તેના મુખ પર સ્મિત રેલાઈ ગયું. પ્રભવે કહ્યું : હજુ તારે બીજાને બોલાવીને પૂછવું હોય તો પૂછ. આ લોકો મને પૂર્ણ વફાદાર છે. મારા માટે પ્રાણ આપી દેવાની તેમની તૈયારી છે... પછી શું જોઈએ? “સાચો પ્રેમ છે!' પ્રભુએ પેલા યુવકને નમન કર્યું. યુવકે પણ નમન કર્યું, તે ચાલ્યો ગયો. પ્રભુએ પ્રભવને પૂછ્યું : મોટાભાઈ, ૪૯૯ સ્ત્રી-પુરુષો આપની સાથે દીક્ષા લેશે, પછી બહુ થોડા જ લોકો, કે જેઓ વૃદ્ધ છે, અપંગ છે, નાનાં બાળકો છે, તે જ રહેવાનાં. તેઓને અહીં રાખવાં છે કે જયપુર લઈ જાઉ?' આપણે તેમને જ પૂછીએ. જો તેઓ જયપુર આવવા રાજી થાય તો ઘણું સારું. તો તને પણ એમની સંભાળ લેવી ફાવે.” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218