________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
એક રાત અનેક વાત ભલે વત્સ, હું તારા માર્ગમાં અવરોધ નહીં કરું, પરંતુ તે અહીં આવ્યો છે, તો થોડા દિવસો અહીં રહે, પછી રાજગૃહી જજે...”
“પિતાજી, મારે જલદીથી જલદી ગુરુદેવ પાસે જવું જરૂરી છે. તેમાંય હજુ મારે મારી પલ્લીમાં જવાનું છે. મારા ૫૦૦ સાથી પણ મારી સાથે જ દીક્ષા. લેવા તૈયાર થયા છે. મારે તેમના પરિવારોને સમજાવવા પડશે. તે પરિવારોના જીવનનિર્વાહની વ્યવસ્થા કરવી પડશે... એમાં પણ મારો સમય જવાનો.... માટે મને આપ આશીર્વાદ આપો એટલે હું અહીંથી રવાના થાઉં.'
“શું તારા પ૦૦ સાથી પણ સાધુ બની જશે?” વિધ્યરાજ આશ્ચર્યચકિત થઈ ગયા.
હા જી, એમાંના જેટલા મારી સાથે જંબૂકમારની હવેલીમાં હતા, તેમણે તો ત્યાં જ મારી સાથે દીક્ષા લેવાનો સંકલ્પ જંબૂકુમારની સામે જાહેર કર્યો હતો, અને તેઓ અહીં મારી સાથે આવેલા છે. એ સિવાયના મારા સાથીઓએ, જ્યારે હું પલ્લીમાં ગયો ત્યારે પોતપોતાનો નિર્ણય જાહેર કર્યો...'
વિધ્યરાજે પ્રભુને કહ્યું : “બેટા, પ્રભવની સાથે આવેલા એના સાથીઓને આદરપૂર્વક અહીં બોલાવી લાવ અને એમનું ઉચિત સન્માન કર... એમનો ભવ્ય સત્કાર કર.'
પ્રભુ ખંડની બહાર ગયો. પ્રભવના સાથીઓને પ્રેમથી પોતાની સાથે લઈને ખંડમાં આવ્યો. પ્રભવના એ સાથીઓએ વિંધ્યરાજને પ્રણામ કર્યા. વિંધ્યરાજે કહ્યું :
ભાઈઓ, શું તમે પણ પ્રભવની સાથે જ સંસારનો ત્યાગ કરી ચારિત્ર ધર્મ સ્વીકારવાના છો?”
હા જી, મહારાજા, અમારા નાથ જો સંસારમાં ન રહે, તો અમારાથી સંસારમાં કેમ રહેવાય? અમે સહુ એમની સાથે જ સાધુ બની જઈશું.” ‘તમે સાધુ બનીને શું કરશો?' અમારા આ નાથ (પ્રભાવ) જે કહેશે તે કરીશું.” તમારા પરિવારનું શું થશે?' “એમના ખાવા-પીવાની અને રહેવાની વ્યવસ્થા અમારા આ નાયક કરી દેશે. અમારી ચિંતા પણ એ જ કરે છે!”
પ્રભુ, પ્રભવના સાથી ડાકુઓની સીધી સરળ વાતો સાંભળીને દિંગ થઈ
For Private And Personal Use Only