________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસેના
૧૩૭. લાગ્યું. તેણે પેલા યુવાન પાસે આવીને બધી વાત કરી. યુવાને તાપસીને ખૂબ મીઠાઈ આપીને ખુશ કરી.
તેને મળવાની જગાનો સંકેત મળી ગયો. “અશોકવાડીમાં કાળી પાંચમે તે મળશે.” તેણે તાપસીની સામે દુર્શિલા પ્રત્યે નફરત વ્યક્ત કરી. તાપસી ચાલી ગઈ. યુવાન કૃષ્ણપક્ષની પાંચમની રાહ જોવા લાગ્યો.
એ દિવસ આવી ગયો. રાત્રીના સમયે તે યુવાન સુંદર વસ્ત્રો પહેરીને દુર્ગિલાની પાસે પહોંચી ગયો. દર્શિલા એની રાહ જોતી ઊભી હતી, અશોકવાડીમાં ખાટલો પાથરેલો હતો. બે પ્રહર સુધી એ બન્નેએ કામક્રીડા કરી. પછી એ જ ખાટલામાં બન્ને ઘસઘસાટ ઊંઘી ગયાં.
દુર્ચિલાનો સસરો દેવદત્ત, એ જ સમયે જંગલ જવા માટે ઊઠ્યો. તે અશોકવાડીમાં આવ્યો. તેણે ખાટલામાં દુલિાને અજાણ્યા પુરુષ સાથે સૂતેલી જોઈ. એ ક્રોધથી ધ્રુજી ઊઠ્યો. તેના મનમાં શંકા જાગી – “મારો પુત્ર તો નથી ને આ?' તે ઘરમાં ગયો. તેણે પુત્રને એકલ સુતેલો જોયો. તેને ખાતરી થઈ ગઈ કે “આ કોઈ લંપટ પુરુષ સાથે જ સૂતી છે.” “શું કરું? એણે ક્ષણભર વિચાર કર્યો. તેણે સાચવીને દુગિંલાના પગમાંથી ઝાંઝર કાઢી લીધું! સવારે આ ઝાંઝર દેવદિત્રને બતાવીને, આ કુલટાને સજા કરાવીશ.” ઝાંઝર લઈને દેવદત્ત ઘરમાં ચાલ્યો ગયો, પરંતુ દુલા જાગી ગઈ. એને ખબર પડી ગઈ કે એના પગનું ઝાંઝર એનો સસરો કાઢીને લઈ ગયો. તે ચતુર હતી. તેણે પોતાના પ્રેમીને જગાડીને રવાના કરી દીધો. જતાં જતાં એને કહ્યું : “જરૂર પડ્યે બુદ્ધિપૂર્વક મદદ કરજે.'
દુગિલા ઘરમાં આવીને પોતાના પતિની સાથે સૂઈ ગઈ. થોડીવાર પછી તેણે દેવદિત્રને કહ્યું : “અહીં મને ખૂબ ગરમી લાગે છે, ચાલોને આપણે અશોકવાડીમાં જઈને સૂઈએ!” દેવદિત્ર અને દુર્મિલા અશોકવાડીમાં જઈને એ જ ખાટલામાં સૂતાં, કે જેમાં દુગિંલા પેલા યુવાન સાથે સૂતી હતી.
દેવદિત્રને તો તરત ઘસઘસાટ ઊંઘ આવી ગઈ, પરંતુ દુર્ગિલા જાગતી પડી હતી. થોડીવારે તે ઊઠી અને દેવદિત્રને જગાડીને બોલી : “નાથ, આ તમારા ઘરમાં આવો તે કેવો કુલાચાર છે? હું તમારી સાથે અહીં સૂતી છું ને? હમણાં જ તમારા પિતા મારા પગમાંથી ઝાંઝર કાઢીને લઈ ગયા... આવી અવસ્થામાં સૂતેલી પુત્રવધૂને અડી જ કેમ શકાય?'
દેવદિત્ર વિચારમાં પડી ગયો. તેણે કહ્યું : “હું સવારે પિતાજીને જરૂ૨ ઠપકો આપીશ. એમની સાઠે બુદ્ધિ નાઠી છે.”
For Private And Personal Use Only