________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
પાસેના
રાજાએ મહાવતને કહેવરાવ્યું : “તું અને રાણી, શિખર પરથી કૂદી પડો. હાથીને જીવતો નીચે ઉતાર.”
મહાવતે કહ્યું : “અમને બન્નેને અભયદાન મળે.. તો જ હું હાથીને પહાડથી નીચે ઉતારું.'
રાજાએ મહાવતને અને રાણીને દેશનિકાલની સજા કરી. હાથીને જીવતો રાખ્યો.
0 0 0 રાણી અને મહાવત ચાલી નીકળ્યાં. ચાલતાં ચાલતાં રાત પડી. તેઓ બીજા કોઈ ગામના પાદરે પહોંચી ગયાં હતાં. ગામની બહાર એક જૂનું શિવાલય હતું. બન્ને શિવાલયમાં જઈને સૂઈ ગયાં.
લગભગ અડધી રાત વીતી હશે. ગામમાંથી ચોરી કરીને એક ચોર ભાગ્યો. નગરરક્ષકો તેની પાછળ પડ્યા. પેલો ચોર આ શિવાલયમાં ઘૂસી ગયો. નગરરક્ષકોએ શિવાલયને ઘેરી લીધું.
શિવાલયમાં ઘોર અંધકાર હતો. જ્યાં રાણી અને મહાવત સૂતેલાં હતાં, ત્યાં ચોર આવ્યો.
મહાવત ઘસઘસાટ ઊંઘતો હતો... રાણી જાગતી હતી... ચોરે અંધારામાં • રાણીને સ્પર્શ કર્યો. રાણીએ ચોરનો હાથ પકડી એના કાનમાં કહ્યું :
જો તું મારી સાથે ભોગ ભોગવે તો “તું મારી પતિ છે,' એમ નગરરક્ષકોને કહીને તને બચાવી લઈશ.”
ચોરે હા પાડી. તેને તો ભાવતું'તું ને વૈદે બતાવ્યું,' એના જેવું થયું. એટલામાં હાથમાં મશાલ લઈ નગરરક્ષકો મંદિરમાં આવ્યા. તેમણે આ ત્રણેયને જોયા. પૂછ્યું : “તમે કોણ છો?”
રાણએ ચોરને બતાવીને કહ્યું : “આ મારા પતિ છે. અમે બીજે ગામ જતાં અહીં રાતવાસો રહ્યાં છીએ.”
નગરરક્ષકોએ વિચાર્યું : “જેની આવી લક્ષ્મી જેવી સારી પત્ની હોય તે તો ચોરી ન જ કરે. માટે આ સૂવાનો ઢોંગ કરે છે, તે જ ચોર હોવો જોઈએ.”
નગરરક્ષકોએ મહાવતને ચોર તરીકે પકડ્યો. મહાવતે રાણી સામે જોયું. પરંતુ રાણી તો એના નવા પ્રેમીની સાથે શિવજીની મૂર્તિ સામે આંખો બંધ કરીને બે હાથ જોડીને ઊભી હતી!
For Private And Personal Use Only