________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કનકસેના અને નભસેના.
૧૪૫ મેઘરથે તો વિદ્યા સિદ્ધ કરી લીધી. પરંતુ વિદ્યુમ્ભાલી ચાંડાલ કન્યામાં આસક્ત બન્યો. તે બ્રહ્મચર્ય ન પાળી શક્યો. તેની પત્ની ગર્ભવતી બની.
મેઘરથે વર્ષના અંતે વિદ્યુમ્નાલીને કહ્યું : “ચાલો, હવે આપણે આપણી વિદ્યાધર દુનિયામાં જઈએ. મારે વિદ્યા સિદ્ધ થઈ ગઈ... તારે ?”
વિદ્યુમ્માલી શરમાઈ ગયો. તેણે પોતાની વાત કહી દીધી. મેઘરથે એને ઠપકો આપ્યો. વિદ્યુમ્ભાલીએ કહ્યું : “હવે એક વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીને વિદ્યાસાધના કરીશ. તું એક વર્ષ પછી મને લેવા આવજે.'
મેઘરથ પોતાના ગગનવલ્લભ નગરમાં પહોંચી ગયો. વિદ્યુમ્ભાલીની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. વિદ્યુમ્ભાલી ખુશ થઈ ગયો. બ્રહ્મચર્ય પાળવાનું ભૂલી ગયો. ફરીથી તેની પત્ની ગર્ભવતી બની.
વર્ષના અંતે મેઘરથ તેની પાસે આવ્યો. વિદ્યુમ્માલીની વિષયાસક્તિ જોઈ તેણે કહ્યું : “મિત્ર, જો વૈષયિક સુખ ભોગવવાં હતાં તો આપણી વિદ્યાધરોની દુનિયામાં શ્રેષ્ઠ સુખો રહેલાં છે. આવી ચાંડાલ સ્ત્રીમાં તું શું જોઈને મોહિત થયો છે?' પરંતુ વિદ્યુમ્માલીના મન પર કોઈ અસર ન થઈ. એ તો પત્રના મૂત્રને સુગંધી જલ માનતો હતો અને ચાંડાલ પત્ની અને મારતી તો પણ એ એને ચાહતો હતો!
આ વિઘન્માલી હવે વિદ્યાધર દુનિયામાં નહીં આવે. એને આ નરક જેવી દુનિયા ગમી ગઈ છે.' એમ સમજીને મેઘરથ પોતાના નગરમાં ચાલ્યો ગયો.
તે રાજકુમાર હતો. તેના પિતાએ તેનો રાજ્યાભિષેક કરી દીક્ષા લીધી. મેઘરથ રાજા બની, રાજ્યનું દીર્ધકાળ પાલન કરી છેવટે દીક્ષા લીધી અને આત્મકલ્યાણ સાધ્યું.
વિદ્યુમ્નાલી મોહના અંધકારમાં અટવાઈને ઘણા ભવોમાં ભટક્યો. હે પદ્મસેના, મોહાસક્તિ ભયાનક છે. ઝેર ખાવું સારું, પણ વિષયવાસનામાં લપટાવું ખોટું. ઝેરથી એક વાર મૃત્યુ થાય, જ્યારે વિષયવાસનાથી અનેકવાર મૃત્યુ થાય છે.”
૦ ૦ ૦. જંબૂકમારની ધીર-ગંભીર વાણીએ સહુને વિચાર કરતા કરી મૂક્યા. ક્ષણભર ખંડમાં સન્નાટો છવાઈ ગયો. જાણે કે વૈરાગ્યનું ઘનઘોર વાદળ ઘેરાઈ આવ્યું. પરંતુ બીજી જ ક્ષણે કનકસેના નામની સ્ત્રીએ ચર્ચામાં પ્રવેશ કરતાં કહ્યું : સ્વામીનાથ, “ત્તિ સર્વત્ર વર્જયતે' કોઈ પણ વાત “અતિ સારી નહીં.
For Private And Personal Use Only