________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
પવસેના પરંતુ માછલી પાણીમાં ઊંડે ચાલી ગઈ અને માંસનો ટુકડો એક પક્ષી ઉપાડી ગયું!
રાણી આ જોઈ રહી હતી. તેણે શિયાળને કહ્યું : “હે શિયાળ, તારાં માંસ અને માછલી બન્ને ગયાં!”
શિયાળ મનુષ્ય-વાણીમાં બોલ્યું : “તે પતિને છોડી પ્રેમીને મેળવવા ગઈ, તો બન્નેને ખોયા. તું નગ્ન બનીને આમતેમ શું જોયા કરે છે? રે ચારિત્રભ્રષ્ટ, તારા મોંઢા પર થું...” રાણી શિયાળની વાણી સાંભળીને ધ્રુજી ગઈ. તેણે પૂછ્યું : ‘તમે કોણ છો?” શિયાળે પોતાનું દૈવી રૂપ પ્રગટ કરીને કહ્યું : “હું તારો પ્રેમી મહાવત છું. શ્રી નવકાર મંત્રના પ્રભાવથી હું મરીને દેવ થયો છું. માટે તે પણ તારાં પાપ ધોવા ધર્મના માર્ગે ચાલ.'
એ દેવે, રાણીને સાધ્વીજી પાસે લઈ જઈ દીક્ષા અપાવી. તેને સાધ્વી બનાવી મોક્ષમાર્ગે વાળી.
૦ ૦ ૦. પદ્મસેનાએ જંબૂકુમારને કહ્યું : “હે નાથ, મારી આ વાર્તામાંથી જે સાર ગ્રહણ કરવો હોય તે કરો. મારે તો એક જ વાત કહેવી છે કે જે મળ્યું નથી તે મેળવવાની લાલચે, તમને જે મળ્યું છે તે છોડી ન દો.”
For Private And Personal Use Only