Book Title: Ek Rat Anek Vat
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 160
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ એક રાત અનેક વાત સંસારમાં રહીને શું ત્યાગ ન કરી શકાય? સર્વત્યાગ કરવો જ શું જરૂરી છે? અમે આપની પત્નીઓ આટ-આટલો આગ્રહ કરીએ છીએ છતાં આપનું જ ગાણું ગાયા કરો છો તે મને યોગ્ય લાગતું નથી. મધ્યમ માર્ગે ચાલવામાં શાણપણ છે. નહીંતર પછી પેલા ખેતરક્ષક ખેડૂતની જેમ છેવટે પસ્તાવાનો સમય આવશે. સાંભળો એ વાર્તા. શાલિગ્રામમાં એક ખેડૂત રહેતો હતો. “શંખનાદ” એનું નામ હતું. રોજ રાત્રે શંખ વગાડીને પોતાના ખેતરની રખેવાળી કરતો હતો. માંચડા પર ચઢીને તે શંખ ફૂંકતો, પશુઓ ભાગી જતાં. એક દિવસ કેટલાક ચોરો ગામમાંથી ગાયોની ચોરી કરી, શંખનાદના ખેતરની પાસે ઊભા હતા. રાત્રિનો સમય હતો. શંખનાદે શંખ ફૂંકવો શરૂ કર્યો. પેલા ચોર ગભરાયા. તેમણે વિચાર્યું : “ગ્રામરક્ષકોએ ગાયોને બચાવવા શંખ ફૂંક્યો લાગે છે... હમણાં રક્ષકો આવશે...' તેઓ ગાયોને ત્યાં જ મૂકી ભાગી ગયા. સવારે ગાયો ચરતી ચરતી શંખનાદના ખેતરની સામે આવી ગઈ. શંખનાદે તે ગાયો ગામના લોકોને સોંપી દીધી. ગામલોકોએ શંખનાદની પ્રશંસા કરી, તેને ધન્યવાદ આપ્યા. શંખનાદને શૂરાતન ચઢયું. હવે તે વધારે જોરથી શંખ ફૂંકવા માંડ્યો. એક દિવસ ફરીથી ચોરો ગાયોને પકડી લાવ્યા. ત્યાં તેમણે શંખનો નાદ સાંભળ્યો. તે ચોરોએ વિચાર્યું : “નક્કી કોઈ ખેડૂત ખેતરની રખેવાળી કરવા શંખ વગાડતો લાગે છે. ખરેખર, આપણે પહેલાં છેતરાયા હતા. આ તો એનો એ જ અવાજ રાત્રિના અંધારામાં તેઓ ધીરે ધીરે શંખનાદના ખેતરમાં ઘૂસ્યા. તેઓ ખૂબ ક્રોધે ભરાયેલા હતા. રૂની વાટ કરતા હોય તેમ હાથ ઘસતા-ઘસતા, વાછરડાં જેમ ગાયના આંચળને દબાવે તેમ હોઠ અને દાંત દબાવતા દબાવતા, હાથી જેમ સૂંઢ પછાડે તેમ લાકડીઓ પછાડતા-પછાડતા અને બળદની જેમ ધાન્યના છોડવાઓને પાડતા-કચડતા તે ચોરો ખેતરમાં દાખલ થયા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218