________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
એક રાત અનેક વાત સંસારમાં રહીને શું ત્યાગ ન કરી શકાય? સર્વત્યાગ કરવો જ શું જરૂરી છે? અમે આપની પત્નીઓ આટ-આટલો આગ્રહ કરીએ છીએ છતાં આપનું જ ગાણું ગાયા કરો છો તે મને યોગ્ય લાગતું નથી. મધ્યમ માર્ગે ચાલવામાં શાણપણ છે.
નહીંતર પછી પેલા ખેતરક્ષક ખેડૂતની જેમ છેવટે પસ્તાવાનો સમય આવશે. સાંભળો એ વાર્તા.
શાલિગ્રામમાં એક ખેડૂત રહેતો હતો. “શંખનાદ” એનું નામ હતું.
રોજ રાત્રે શંખ વગાડીને પોતાના ખેતરની રખેવાળી કરતો હતો. માંચડા પર ચઢીને તે શંખ ફૂંકતો, પશુઓ ભાગી જતાં.
એક દિવસ કેટલાક ચોરો ગામમાંથી ગાયોની ચોરી કરી, શંખનાદના ખેતરની પાસે ઊભા હતા. રાત્રિનો સમય હતો. શંખનાદે શંખ ફૂંકવો શરૂ કર્યો. પેલા ચોર ગભરાયા. તેમણે વિચાર્યું : “ગ્રામરક્ષકોએ ગાયોને બચાવવા શંખ ફૂંક્યો લાગે છે... હમણાં રક્ષકો આવશે...' તેઓ ગાયોને ત્યાં જ મૂકી ભાગી ગયા.
સવારે ગાયો ચરતી ચરતી શંખનાદના ખેતરની સામે આવી ગઈ. શંખનાદે તે ગાયો ગામના લોકોને સોંપી દીધી. ગામલોકોએ શંખનાદની પ્રશંસા કરી, તેને ધન્યવાદ આપ્યા.
શંખનાદને શૂરાતન ચઢયું. હવે તે વધારે જોરથી શંખ ફૂંકવા માંડ્યો. એક દિવસ ફરીથી ચોરો ગાયોને પકડી લાવ્યા. ત્યાં તેમણે શંખનો નાદ સાંભળ્યો. તે ચોરોએ વિચાર્યું : “નક્કી કોઈ ખેડૂત ખેતરની રખેવાળી કરવા શંખ વગાડતો લાગે છે. ખરેખર, આપણે પહેલાં છેતરાયા હતા. આ તો એનો એ જ અવાજ
રાત્રિના અંધારામાં તેઓ ધીરે ધીરે શંખનાદના ખેતરમાં ઘૂસ્યા. તેઓ ખૂબ ક્રોધે ભરાયેલા હતા.
રૂની વાટ કરતા હોય તેમ હાથ ઘસતા-ઘસતા, વાછરડાં જેમ ગાયના આંચળને દબાવે તેમ હોઠ અને દાંત દબાવતા દબાવતા, હાથી જેમ સૂંઢ પછાડે તેમ લાકડીઓ પછાડતા-પછાડતા અને બળદની જેમ ધાન્યના છોડવાઓને પાડતા-કચડતા તે ચોરો ખેતરમાં દાખલ થયા.
For Private And Personal Use Only