________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
એક રાત અનેક વાત દુગિલાએ કહ્યું : “એમ નહીં, તમે હમણા ને હમણાં જ પિતાને વાત કરો, સાચું કરાવો. સવારે તો કહેશે કે હું કોઈ બીજા સાથે સૂતી હતી.”
દેવદિત્રે કહ્યું : “તેં કહ્યું તે જ સાચું છે. હું બીજાનું કશું જ માનીશ નહીં.' દુMિલા પોતાના મનમાં રાજી થઈ.
સવારે દેવદિન્ને દેવદત્તને ઠપકો આપ્યો. દેવદત્ત જે સાચી વાત હતી તે કહી દિીધી. પરંતુ દેવદિને પિતાની વાત ન માની. દુર્મિલાએ ગુસ્સે થઈને કહ્યું : તમારા પિતાએ મારા પર કલંક મૂક્યું છે. હું એ સહન નહીં કરું. દૈવી-પ્રયોગ કરાવીને હું ખાતરી કરાવી આપીશ. ગામની બહાર શોભન યક્ષનું મંદિર છે. એ યક્ષના બે પગ વચ્ચેથી નીકળીને હું મારું શીલ સાબિત કરી આપીશ. જે દુઃશીલ હોય છે તે તેમાંથી નીકળી શકતું નથી.'
દેવદત્તે એ કબૂલ રાખ્યું.
દગિલાએ એના પ્રેમીને નદીકિનારે મળીને યોજના સમજાવી દીધી હતી. બીજે દિવસે સવારે નાહીને, શ્વેતવસ્ત્ર ધારણ કરી, ધૂપ, પુષ્પ વગેરે સામગ્રી લઈ, યક્ષની પૂજા કરવા નીકળી.
રસ્તામાં એનો પ્રેમી યુવાન ગાંડો બનીને દોડતો આવ્યો... ને બધાની વચ્ચે દુગિલાના ગળે વળગ્યો. “આ તો ગાંડો છે.” કહીને લોકોએ તેને હાંકી કાઢ્યો. - દુગિલાએ ફરી સ્નાન કર્યું અને યક્ષની પૂજા કરી. યક્ષને પ્રાર્થના કરી : “મારે એક જ ભર્તાર છે એ, અને મારે ગળે વળગેલો પેલો ગાંડો, આ બે સિવાય મારા શરીરે બીજા કોઈ પણ પુરુષે સ્પર્શ કર્યો હોય તો તે યક્ષ, તારા પગ વચ્ચે મને ભીડી રાખ. નહિ તો મને સુખરૂપ નીકળી જવા દે.'
યક્ષ વિચારમાં પડી ગયો... ત્યાં તો એક ક્ષણનોય વિલંબ કર્યા વિના દુગિલા યક્ષમૂર્તિના બે પગ વચ્ચેથી નીકળી ગઈ. લોકોએ હર્ષથી પોકાર કર્યો - એ શુદ્ધ છે.. એ શુદ્ધ છે...!” રાજપુરુષોએ દુગિલાને પુષ્પમાળા પહેરાવી. વાજતે-ગાજતે દુલિા પોતાના ઘરે આવી. દેવદિન્ને ઉમળકાભેર તેને આવકારી.
દેવદત્તની ઊંઘ ઊડી ગઈ. “મારી પુત્રવધૂએ યક્ષ જેવા યક્ષને છેતર્યો? કેવું ગહન હોય છે સ્ત્રીચરિત્ર?” એને એવો ઊંડો આઘાત લાગ્યો કે આખી રાત ને રાત જાગતો જ રહેવા લાગ્યો.
નગરના રાજાને રાણીવાસની રક્ષા માટે આવા જ માણસની જરૂર હતી.
For Private And Personal Use Only