________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
એક રાત અનેક વાત ત્યાં તેણે એક વૃક્ષ નીચે ૨મતાં બાળકોને જોયાં. બાળકોને પૂછ્યું : “હમણાં અહીંથી ગઈ એ સ્ત્રીને તમે ઓળખો છો?' બાળકોએ કહ્યું : “હા, હા, એનું નામ દુર્મિલા છે. દેવદત્તની પુત્રવધૂ છે.”
એક બાજુ દુલા એ યુવાનને મળવા ઝંખે છે, બીજી બાજુ પેલો યુવાન દુર્ગલાને મળવા ઝંખે છે. બન્ને ઉપાય શોધે છે. ત્યાં પેલા યુવાનને એક ભટકતી તાપસી મળી ગઈ. તેને મનગમતું ભોજન કરાવીને ખુશ કરી. તાપસી ચતુર હતી. તેણે પૂછ્યું : “કહે યુવાન, તારું શું કામ કરું?'
એક જ કામ છે. દેવદત્તની પુત્રવધૂ દુર્મિલા સાથે મારો મેળાપ કરાવી આપ. સંગમની કબૂલાત તો મેં એની પાસેથી લઈ લીધેલી છે... એટલે તારે તો માત્ર સ્થાન અને સમય જ ગોઠવી આપવાનાં છે.' “યુવાન, તું નિશ્ચિત રહે, હું તરત જ તારું કામ કરી આપું છું.'
તાપસી ભિક્ષા લેવા દેવદત્તના ઘરે ગઈ. તે વખતે દુર્મિલા વાસણ માંજતી હતી અને ઘરમાં કે આસપાસ કોઈ દેખાતું ન હતું. એટલે ધીરેથી તાપસીએ દુગિલાને કહ્યું : “તને એક યુવાન ચાહે છે. તમે બન્ને રૂપ, ગુણ, ઉંમર, ચતુરાઈ વગેરેમાં સમાન છો, જે દિવસે એણે તને નદીમાં નહાતી જોઈ છે તે દિવસથી એનું મન તારામાં લાગ્યું છે. ઘરમાં... બહાર સર્વત્ર એને તારી જ લગની લાગી છે...”
દુલિાએ ભવાં ચઢાવીને કહ્યું : “હે તાપસી, તું આવી ખરાબ વાત ન કર. આવી ભૂંડી વાત અમારા કુટુંબમાં થતી નથી. તારી આવી વાત સાંભળી હું તો લાજી મરું છું. હે પારિણી, અહીંથી નીકળ બહાર, ઘરેઘરે ભીખ માંગનારી... તારું મોઢું જોવામાં પણ પાપ છે.'
પોતાનો આશય છુપાવીને તેણે તાપસીને ધમકાવી નાંખી. તાપસી જેવી પીઠ ફેરવીને ચાલવા લાગી, દુર્મિલાએ એની પીઠ પર મેંશથી ખરડાયેલા હાથથી થાપો મારી દીધો. તાપસી ખીજવાઈ ગઈ. તે સીધી પેલા યુવાન પાસે પહોંચી અને જે વાત થઈ તે કહી સંભળાવી. યુવાન હસ્યો. તેણે તાપસીની પીઠ ઉપર દુલિાના હાથનો થાપો જોયો. તે સમજી ગયો. “કાળી પાંચમનો સંકેત છે.' પણ સ્થાનનો સંકેત મળ્યો નહીં, એટલે યુવાને તાપસીને મનાવીને સમજાવીને ફરીથી દુગિલા પાસે મોકલી. | દર્શિલાએ તાપસીને ફરીથી આવેલી જોઈ, તેને ગળેથી પકડી પાછલા બારણેથી અશોકવાડીમાં થઈને બહાર કાઢી. તાપસીને પોતાનું ઘોર અપમાન
For Private And Personal Use Only