________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯. પદ્મસેના |
પદ્મશ્રી મૌન થઈ ગઈ; પરંતુ પદ્મસેનાએ વાતનું અનુસંધાન કરતાં કહ્યું : નાથ, સુખ અને સુખના આભાસ વચ્ચેનું અંતર કોણ સમજી શકે? સુખને હું તો મનુષ્યના મનની એક કલ્પના જ માનું છું. દુ:ખ પણ મનુષ્ય મનની માત્ર કલ્પના જ છે. વાસ્તવમાં આપણું જીવન કલ્પનાની દુનિયાનું જીવન છે.
સ્વામીનાથ, એક માણસ જેમાં સુખ માને છે, બીજો માણસ એમાં દુ:ખ માને છે! આપ સંસારમાં દુઃખ માનો છો, અમે સંસારમાં સુખ માનીએ છીએ... દરેક માણસ પોતપોતાની માન્યતાને લઈને જીવન જીવ્યે જાય છે... અને તેમાં દરેક મનુષ્ય બાહ્ય-આંતરિક સંઘર્ષમાંથી પસાર થતો હોય છે.
એવા જ એક સંઘર્ષમય જીવનની વાર્તા કહું છું. આપણા આ રાજગૃહી નગરની જ આ વાર્તા છે.
આ નગરમાં દેવદત્ત નામનો સોની રહેતો હતો. તેના પુત્રનું નામ દેવદિત્ર. દેવદિત્રની પત્નીનું નામ દુલિા ... દુMિલા ચતુર હતી અને રૂપવતી હતી.
જ્યારે એ સુંદર વસ્ત્ર-અલંકારો પહેરીને નદીકિનારે પાણી ભરવા જતી ત્યારે સાક્ષાતુ જલદેવી જેવી દેખાતી. ચોરેચૌટે બેઠેલા યુવાનો અને ધારી ધારીને જોઈ રહેતા. એના રૂપ ઉપર મુગ્ધ બની જતા.
એક દિવસની વાત છે. દુલા નદીમાં સ્નાન કરતી હતી. તેની બીજી સખીઓ પણ સ્નાન કરતી હતી. “અમને અહીં કોઈ જોતું નથી.” એમ માનીને નિર્વસ્ત્ર બનીને સ્વચ્છંદપણે સ્નાન કરતી હતી.
નગરનો એક ચરિત્રહીન યુવાન એક વૃક્ષની પાછળ છુપાઈને આ સ્ત્રીઓને જોઈ રહ્યો હતો. જ્યારે સ્નાન કરીને દુગિલા નદીની બહાર આવી, વસ્ત્રો પહેરીને ગામ તરફ ચાલવા લાગી ત્યારે રસ્તામાં પેલા યુવાને તેને ઊભી રાખીને પૂછ્યું : “હે સુંદરી, આ નદી તને પૂછે છે, આ વૃક્ષો તને પૂછે છે અને હું તને પ્રેમથી પૂછું છું - શું તેં સારી રીતે સ્નાન કર્યું કે?'
દુગિલાએ એ રંગીલા યુવાન સામે જોઈ સ્મિત કર્યું અને કહ્યું : “નદીને સુખ હજો, વૃક્ષો આનંદમાં રહો... મને સ્નાન કર્યાનું પૂછનારની હું આશા પૂર્ણ કરીશ.' એમ કહીને દુલા ત્યાંથી ચાલી ગઈ. પણ પેલો યુવાન ત્યાં જ ઊભો રહ્યો. એ વિચારે છે : “આ રૂપાળી યુવતી કોણ હશે?”
For Private And Personal Use Only