________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ મળે છે!
૧૧૭ છે! એ અનુભવ પણ વાસ્તવિક હોય છે. પરંતુ મિત્ર, એ અનુભવ પામવા માટે વિષયક સુખોનો ત્યાગ કરવો પડે છે. વળી, વૈષયિક સુખોના અનુભવ કરતાં આત્માના સુખનો અનુભવ દીર્ઘકાલીન હોય છે. આત્મસુખનો અનુભવ શાશ્વત્ હોય છે, નિર્ભય હોય છે અને સ્વાધીન હોય છે...”
કુમાર, ખોટું ન લગાડીશ, પરંતુ આ બધું તું જે બોલે છે તે શ્રી ધર્માસ્વામી પાસેથી સાંભળેલું નથી બોલી રહ્યો? બુદ્ધિમાન પુરુષ, કોઈની પાસેથી સાંભળેલી વાતો પર જલદી વિશ્વાસ નથી કરતો. આટલી નાની ઉંમરમાં તું આત્મસુખના અનુભવની વાત કરે છે. તે ન સમજાય એવી વાત છે.'
“પ્રભવ, સરુની વાણી તો એક નિમિત્ત બનતી હોય છે. એક આલંબન બનતી હોય છે. એ વાણીના સહારે મનુષ્ય સ્વયં ચિંતન કરવાનું હોય છે. ચિંતન કરતાં કરતાં એ વાણીનો મર્મ સમજાતો હોય છે. હું એ મર્મ પામ્યો છું. તેથી આ વૈષયિક સુખોનું મારું આકર્ષણ નાશ પામ્યું છે. વૈષયિક સુખોનો જરાય રાગ મારા મનમાં રહ્યો નથી..” “તો પછી મિત્ર, તેં આઠ મુગ્ધ કન્યાઓ સાથે લગ્ન શા માટે કર્યું? માતા-પિતાના મનના સંતોષ ખાતર અને આ આઠની સંમતિ મેળવીને!” એટલે, આ આઠને શું તારા વૈરાગ્યની ખબર છે?' હા.' “છતાં, તેમણે તારી સાથે લગ્ન કર્યું?' હા.”
તો મહાન કોણ? તું કે આ આઠ નવોઢાઓ? કેવું અદ્ભુત સમર્પણ કહેવાય આ આઠ સ્ત્રીઓનું? કુમાર, તારે તારા નિર્ણયમાં પુનર્વિચાર કરવો જરૂરી છે.”
જંબૂકુમારના મુખ પર સ્મિત રમી જાય છે અને એ પ્રભવને એક વાર્તા કહે
For Private And Personal Use Only