________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભવ મળે છે:
૧૧૫ લાખ રૂપિયાની કિંમતના મૂલ્યવાન હાર હતા. રત્નકંકણ હતાં. બાજુબંધ હતા... અને આઠેય સ્ત્રીઓ નિદ્રાધીન બની ગયેલી હતી!
તેણે જંબૂકમારને પલંગ ઉપર બેઠેલો જોયો. તેની આંખો બંધ હતી. તે ભીંતના ટેકે સહજતાથી બેઠેલો હતો.
પ્રભવે પોતાના સાથીદારોને કહ્યું : “આ સ્ત્રીઓના શરીર ઉપરથી બધા જ દાગીના ઉતારી લો...'
ત્યાં જંબૂકુમારે આંખો ખોલી અને કહ્યું : “દૂર ઊભા રહો, કોઈએ પણ એ સ્ત્રીઓને અડવાનું નથી, જુઓ, હું જાગતો અહીં બેઠો છું.”
પ્રભવ સ્તબ્ધ થઈ ગયો. એકીટસે તે જંબૂકુમાર સામે જોઈ રહ્યો. “આ કુમાર ઉપર મારી અવસ્થાપિની વિદ્યાની કોઈ અસર કેમ ન થઈ? ગજબ કહેવાય. આટલાં વર્ષોમાં આવી ઘટના પહેલી જ વાર બની... અવશ્ય, કુમાર પાસે “સ્તૃભિની’ વગેરે વિદ્યાઓ હોવી જોઈએ. કુમાર જાગ્રત છે, નિર્ભય છે, સ્વસ્થ છે! વિદ્યાશક્તિઓ વિના આ ન બની શકે. તેણે જંબૂકુમારને કહ્યું :
કુમાર, હું વિંધ્યરાજનો પુત્ર પ્રભવ છું. હું તારો મિત્ર બનવા ઇચ્છું છું. તારી પાસે જેમ વિઘાશક્તિઓ છે તેમ મારી પાસે પણ વિદ્યાશક્તિઓ છે. તારી પાસે જે “સ્તૃભિની' અને “મોક્ષણી' બે વિદ્યાઓ છે તે તું મને આપ અને હું તને “અવસ્વાપિની” તથા “તાલોદ્દઘાટિની' નામની બે વિદ્યાઓ આપું. આ રીતે આપણી મિત્રતાને બાંધીએ.'
પ્રભવે જંબૂકમાર પાસે આવી મસ્તકે અંજલિ જોડી પ્રણામ કર્યા. જંબુના મુખ પર સ્મિત આવી ગયું. તેણે કહ્યું :
પ્રભવ, મારે આવી વિદ્યાઓની કોઈ જરૂર નથી. હું તો આ હવેલી.. આ સ્ત્રીઓ.. આ વૈભવ-સંપતિ.... સ્વજનો બધું જ છોડીને ભગવાન સુધર્મા સ્વામીનાં ચરણમાં જીવન સમર્પિત કરી સાધુ બનવાનો છું... મારે મારા આત્માને કર્મોના બંધનોથી મુક્ત કરવો છે. કહે, હું વિદ્યાશક્તિઓને શું
કરું?”
પ્રભવે અવસ્વાપિની વિદ્યાને સંહરી લીધી. જંબૂકુમારની આઠેય પત્નીઓ વિદ્યાશક્તિની અસરથી મુક્ત થઈ. જાગ્રત બનીને તેમણે પ્રભવ તથા તેના સાથીદારોને જોયા.
દેવી, તમે ડરશો નહીં. હવે આ પ્રભવ, કે જે એક નામી ચોર છે, તે મારો મિત્ર બની ગયો છે.” જંબૂકુમારે આઠેય પત્નીઓને આશ્વસ્ત કરી. પ્રભવે કહ્યું:
For Private And Personal Use Only