________________
Shri Mahavir Jain Aradhana Kendra
શરીર નાશવંત છે, આત્મા શાશ્વત છે.
આત્માનું અસ્તિત્વ ક્યારેય લોપાતું નથી.
જૂનાં શરીર છૂટતાં જાય છે, આત્મા નવાં શરીર ધારણ કરતો જાય છે. દુનિયામાં જાતજાતનાં ને ભાતભાતનાં અસંખ્ય પ્રકારનાં શરીર છે. દરેક આત્માએ એ બધાં શરીર, એકવાર નહીં, અનંતવાર ધારણ કર્યા છે. દરેક આત્મા પોતપોતાનાં કર્મોના અનુસારે શરીર ધારણ કરે છે.
-
www.kobatirth.org
ભવદત્ત મુનિનો સ્વર્ગવાસ થયો, તેઓ દેવલોકમાં દેવ થયા. તેમણે વૈક્રિય પુદ્ગલોનું દિવ્ય શરીર ધારણ કર્યું.
.
૭. સાગરદત્ત
એક મનુષ્ય તપ-ત્યાગ અને વ્રત-સંયમની આરાધના કરીને દેવ બની શકે છે. એક મનુષ્ય હિંસા, અસત્ય, ચોરી વગેરે અસંખ્ય પાપો કરીને નારકીમાં પશુ-પક્ષીની યોનિમાં જઈ શકે છે.
-
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક સામાન્ય યુવાન, સાધુ શ્રમણ બની ગયો!
શ્રમણ મરીને દેવ બની ગયો!
- દેવ એનું આયુષ્ય પૂર્ણ થતાં પુનઃ મનુષ્ય બને છે!
એ પણ સામાન્ય મનુષ્ય નહીં, રાજકુમાર બને છે!
એ પણ, આ ભરતક્ષેત્રમાં નહીં, પરંતુ ‘મહાવિદેહ' ક્ષેત્રમાં!
- મહાવિદેહ ક્ષેત્ર!
આ સૃષ્ટિ ઘણી વિશાળ છે. આજે દુનિયાના નકશા ઉપર જે જોવા મળતી નથી... એવી વિશાળ સૃષ્ટિ, સર્વજ્ઞ મહાપુરુષોએ શાસ્ત્રોમાં બતાવી છે. એવો એક વિશાળ-વિરાટ પ્રદેશ છે... આપણા માટે અગમ-અગોચર! તેનું નામ ‘મહાવિદેહ.'
- ત્યાં મનુષ્યો છે, પશુઓ અને પક્ષીઓ પણ છે. પરંતુ આપણા કરતાં ઘણાં મોટાં... ઊંચાં અને વિરાટ, તેમની સામે આપણે નાનકડા કીડા જેવા લાગીએ!
· ત્યાં હમેશાં તીર્થંકરો હોય જ. ક્યારેક થોડા તો ક્યારેક વધારે,
ત્યાંથી જીવાત્માઓ કર્મક્ષય કરીને મોક્ષમાં પણ જઈ શકે અને કર્મો બાંધીને
For Private And Personal Use Only