________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જંબૂનો વૈરાગ્ય
૧૦૩ પરંત લગ્ન કર્યા પછી તે સંયમ ધર્મ સ્વીકારવાની વાત કરે છે. એટલે, તમે આ પરિસ્થિતિનો વિચાર કરીને, લગ્ન કરવાં ન કરવાં - તેનો નિર્ણય કરશો અને અમને જણાવશો.'
“સ્વામીનાથ, આ રીતે જણાવી દેવું સારું છે. સંબંધોમાં પહેલેથી સ્પષ્ટ વાત કરી દેવી સારી.”
વળી, આ વાત ઉપર કન્યાઓને પણ વિચારવાનો સમય મળશે! તેમને પણ પોતાના જીવન અંગે વિચાર કરવાનો અવસર આપવો જોઈએ ને?” “આપવો જ જોઈએ. તેમને અંધારામાં ન રાખી શકાય.'
ઋષભદત્ત ઊંડા વિચારમાં ડૂબી ગયા, ધારિણી ઋષભદત્તને જોતી રહી. ઋષભદત્તે ધારિણી સામે જોયું. ઋષભદત્ત બોલ્યા :
દેવી, કેવું બની ગયું અચાનક? જંબૂ વૈરાગી બને.. ત્યાગના માર્ગે જવાનો વિચાર કરે એવો વિચાર પણ આપણને કે કોઈને આવ્યો નથી. સંસારમાં આવું આકસ્મિક બની જતું હોય છે. ન ધારેલું બને... એનું જ નામ સંસાર..” દંપતી એકબીજાની સામે જોઈ રહ્યાં.
For Private And Personal Use Only