________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
એક રાત અનેક વાત ‘તેઓ નહીં માને તો?” “અમે જરૂર મનાવીશું. અમારી નિર્ણય અફર છે.'
સમુદ્રશ્રી મંત્રણાગૃહમાંથી નીકળી ગઈ. પુનઃ આઠેય કન્યાઓ ભેગી થઈ, સમુદ્રશ્રીએ આઠ શ્રેષ્ઠીઓ સાથે થયેલી વાતો કહી સંભળાવી. સહુએ પોતાનો દઢ સંકલ્પ પુન: દોહરાવ્યો : “અમે જંબૂકમાર સાથે જ લગ્ન કરીશું.'
સહુ કન્યાઓ પોતપોતાના ઘેર પહોંચી ગઈ. શ્રેષ્ઠીઓ પણ “ફરીથી કન્યાઓના નિર્ણયને ચકાસી જોઈશું.” એવો નિર્ણય કરીને પોતપોતાની હવેલીએ પહોંચી ગયા.
શ્રેષ્ઠી ઋષભદત્તને બીજા જ દિવસે પ્રત્યુત્તર આપવાનો હતો, એટલે દરેકના મન ઉપર ભાર હતો. કન્યાઓએ પોતપોતાની માતાઓને પોતાનો નિર્ણય વિનયથી જણાવી દીધો. પહેલાં તો માતાઓએ રુદન કર્યું. પરંતુ પછી કન્યાઓના અપૂર્વ સત્ત્વને જોઈ “આ કન્યાઓ અમારી કૂખને અજવાળવાનું પગલું ભરી રહી છે...” આ સત્યને સમજી તેમણે કન્યાઓને આશીર્વાદ આપ્યા. કન્યાઓ પ્રસન્નચિત્ત, પ્રસન્નમુખ થઈ ગઈ.
રાત્રિના સમયે શ્રેષ્ઠીઓએ અંતિમ નિર્ણય લીધો - “અમે અમારી કન્યાઓને જેબૂકુમાર સાથે પરણાવીશું.'
૦ ૦ ૦ બીજા દિવસે પ્રભાતમાં જ આઠેય વેવાઈઓના રથ શ્રેષ્ઠી ઋષભદત્તની હવેલીના દ્વારે આવી પહોંચ્યા. ઋષભદત્ત સહુનું ભાવભીનું સ્વાગત કર્યું અને વિશાળ મંત્રણાખંડમાં તેઓને દોરી ગયા. કુશળપૃચ્છા કરીને ઋષભદને કહ્યું :
“મહાનુભાવો, મારો સંદેશ સાંભળીને આપ સહુને આંચકો લાગ્યો હશે... પરંતુ શું કરું? વાસ્તવિક પરિસ્થિતિ આપ સહુને જણાવવી જરૂરી હતી, કે જેથી ભવિષ્યમાં મન-દુઃખ થવાનો પ્રસંગ ન આવે.”
શ્રેષ્ઠીવર્ય, આપે સંદેશો મોકલીને ખરેખર, અમારા પર ઉપકાર કર્યો છે. અમને સહુને વિચારવાનો અવસર આપ્યો. અમે તો વિચાર્યું પરંતુ અમારી કન્યાઓએ પણ વિચારી લીધું!” શ્રેષ્ઠી સમુદ્રપ્રિયે કહ્યું.
આપનો નિર્ણય નિઃસંકોચ જણાવવાની કૃપા કરો.” ઋષભદત્તે બે હાથ જોડી મસ્તક નમાવીને કહ્યું.
મહાનુભાવ, અમે આઠેય મળીને તો લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો
For Private And Personal Use Only