________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦.
એક રાત અનેક વાત જ્યોતિષી આવી ગયા હતા. તેમણે સાત દિવસ પછીનું વૈશાખ સુદ ત્રીજનું મુહૂર્ત આપ્યું. સહુ શ્રેષ્ઠીઓએ મુહૂર્તનો સ્વીકાર કર્યો. ઋષભદત્તે જ્યોતિષીને ઉત્તમ વસ્ત્ર અને અલંકાર આપીને તેમને વિદાય આપી.
ઋષભદત્તે કહ્યું : “મહાનુભાવો, આપણને લગ્ન મહોત્સવની તૈયારી માટે સાત દિવસનો સમય મળ્યો છે. આપણી ઇચ્છા મુજબ ભવ્ય તૈયારીઓ કરી શકીશું.'
આઠેય શ્રેષ્ઠીઓએ વિદાય લીધી. પોતપોતાના રથમાં બેસી રવાના થઈ ગયા. ઋષભદત્ત એમને વિદાય આપીને સીધા ધારિણીની પાસે આવ્યા. જંબૂકુમાર પણ ત્યાં જ હતો. ઋષભદને લગ્નના મુહૂર્તની ધારિણીને જાણ કરી અને લગ્નમહોત્સવની તૈયારીઓ કરવા સૂચના આપી.
ધારિણીની આંખોમાં હર્ષના આંસુ ઊભરાયાં. તેણે જંબૂકુમારને વાત્સલ્યથી નવરાવી દીધો. ઋષભદત માતા-પુત્રના મિલનને સ્નેહભરી આંખે જોઈ રહ્યા....
For Private And Personal Use Only