________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવકુમાર
આશ્ચર્યથી કુમાર ઊછળી પડ્યો. “પ્રભો, આ જ નગરમાં એ મહાન આત્મા છે?' “હા, અને એ તારો પરમ મિત્ર છે!”
ગુરુદેવ, આ નગરમાં કહો કે આખી દુનિયામાં કહો, મારો એક જ મિત્ર છે... અને તે ધર્મેશ છે!”
એ ધર્મેશ, કે જેનું મૂળ નામ “દઢધર્મા' છે, તે જ નાગિલાનો આત્મા છે! તારા પ્રત્યે એને અંતરંગ સ્નેહ છે. અને આ જીવનમાં પણ તને એ જ મહાન આત્મા પ્રેરક અને સહાયક બનશે!”
શિવકુમારની આંખો હર્ષનાં આંસુથી ભીની થઈ ગઈ. તેણે આંખો બંધ કરીને ધર્મેશને યાદ કર્યો.
ગુરૂદેવને પુનઃવંદના કરીને કુમાર રથમાં બેસી ત્વરાથી મહેલમાં આવ્યો. એક નવું રહસ્ય પામ્યાનો અપૂર્વ આનંદ તેના હૃદયમાં ઊછળી રહ્યો હતો. ધર્મેશને મળવાની ઉત્કટ ઇચ્છા એના મનમાં જાગી ગઈ હતી.
કાશ... આજે પણ આવા અવધિજ્ઞાની, કેવળજ્ઞાની મહાપુરુષો હોત તો...?
For Private And Personal Use Only