________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
એક રાત અનેક વાત. એ આપના ઘરમાં રહેલો નિઃસ્પૃહ... વિરક્ત સાધુ છે. ભાવસાધુ છે. એણે સ્વજન, સ્નેહી... અને શરીરનું મમત્વ પણ ત્યજી દીધું છે. બસ, એક માત્ર માતા-પિતા પ્રત્યેની ભક્તિથી... અને આપના અત્યાગ્રહથી તે સંસારમાં રહેલો.
આપ એની કોઈ ચિંતા ન કરશો. હવે દિન-રાત હું એની પાસે રહીશ.” મહારાજાનું હૃદય દ્રવિત થઈ ગયું. તેઓ ધર્મેશને ભેટી પડ્યા. મહારાજા, આજે કુમારને પારણું છે. હું આયંબિલની ભિક્ષા લેવા જાઉં
ધર્મેશ મહેલમાંથી નીકળીને સીધો પોતાની હવેલીમાં ગયો. રાજા, રાણી અને પુત્રવધૂ.. આ ફિરસ્તાને જતો જોઈ રહ્યાં.. લાખ લાખ ધન્યવાદ આપતાં રહ્યાં.
For Private And Personal Use Only