________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
એક રાત અનેક વાત હું સંયમ ધર્મમાં સ્થિર બની ગયેલો. એણે (નાગિલાએ) પણ ચારિત્રધર્મ સ્વીકારી લીધેલો...
મેં સાગરદન મુનિરાજને પૂછ્યું : “ભગવંત એ નાગિલા કાળધર્મ પામીને ક્યાં ગઈ અને અત્યારે એ આત્મા ક્યાં છે?”
શું કહ્યું મુનિરાજે?' ઉત્સુકતાથી ધર્મેશે પૂછયું. સાગરદત્ત મુનિરાજે કહ્યું : “એ કાળધર્મ પામીને પહેલા દેવલોકમાં ગઈ અને ત્યાંથી ચ્યવન પામીને તે આ જ વીતશોકા નગરીમાં જન્મી છે!”
હૈ? આ જ નગરમાં? તે કોણ?' તે બીજું કોઈ નહીં પરંતુ નગરશ્રેષ્ઠીનો પુત્ર ધર્મેશ!” ધર્મેશ આશ્ચર્યથી... હર્ષથી... ગદ્ગદ્ થઈ ગયો. તે એકીટસે શિવકુમારને જોઈ રહ્યો.... પછી તે બોલ્યો :
મહાત્મનું, મારા મનનું સમાધાન થઈ ગયું આજ! હું એ વિચારતો હતો કે મને તમારા પ્રત્યે આટલું બધું ખેંચાણ કેમ થાય છે? તમારા તપ-ત્યાગ અને સંયમ કેમ ગમે છે? તમારી પાસે જ રહેવાનું કેમ ગમે છે? સમજાઈ ગયું આજે!'
તેં પૂર્વજન્મમાં મને ચારિત્ર ધર્મમાં સ્થિર કર્યો, આ જન્મમાં.. મને ચારિત્ર ધર્મના (ભાવ-ચારિત્રના) પાલનમાં સાથ આપ્યો...બન્ને જન્મમાં તેં મારા ઉપર પરમ ઉપકાર કર્યો છે... તારા આ ઉપકારનો બદલો હું કેવી રીતે વાળીશ?' શિવકુમારનો ક્ષીણ અવાજ ગળગળો થઈ ગયો.
કોઈ જનમમાં.કદાચ હું સંસારની જાળમાં ફસાઈ જાઉં. તો તેમાંથી મારો ઉદ્ધાર કરીને બદલો વાળજો!
એટલે શું હજુ આપણે સંસારમાં જન્મ-મરણ કરવાં પડશે?” જો કરવાં પડે તો?'
ના, ના, હવે તો આ સંસારમાં જનમવું જ નથી. હવે તો અનંત સિદ્ધ ભગવંતો મને પોકારે છે...” ત્યાં પણ આપણે સાથે હોઈશું!”
૦ ૦ ૦ નાથ, કુમારનું શરીર કેવું થઈ ગયું છે? દસ-દસ વર્ષથી એકધારી કઠર તપશ્ચર્યા..” રાણી યશોદા રડી પડી.
For Private And Personal Use Only