________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘટનાચન
૪૫
‘પરંતુ શું હજુ આ રૂપવિહીન, યોવનવિહીન શરીર પર આપને મોહ છે? અને હવે એ રૂપ, એ યૌવન આ જીવનમાં ફરી આવવાનું નથી! એટલું જ નહીં, મારા સિવાય બીજી કોઈ રૂપવતી નવૌવના સ્ત્રીનો વિચાર પણ આપના મનમાં આવ્યો નહીં હોય... તો પછી '
‘એકદમ સાચી વાત છે તારી. તારા સિવાય બીજી કોઈ જ સ્ત્રી તરફ રાગ થયો નથી કે થવાનો નથી...’
‘એ આપની ઉત્તમતા છે મુનિરાજ! હવે આપ મને ભૂલી જાઓ... મારા શરીરને ભૂલી જાઓ... તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનના પવિત્ર માર્ગે દઢતાપૂર્વક આગળ વધો.
‘શું તું એ જ ઇચ્છે છે?
‘હા જી, મારી આ જ ઇચ્છા છે. માત્ર આપના માટે જ નહીં, મારા માટે પણ મેં એ જ માર્ગ પસંદ કર્યો છે.’
ભવદેવ મુનિ નાગિલાના તેજસ્વી મુખને જોઈ રહ્યા. તેના મુખ પર મક્કમતા હતી, તેની આંખોમાં અવિકારિતા હતી. તેના શબ્દોમાં જાદુ હતો. ભવદેવ મુનિનું મન સ્વસ્થ બનતું જતું હતું. નાગિલાના લાગણીભર્યા શબ્દો ભવદેવના અંતઃકરણને સ્પર્શતા હતા.
જેના પ્રત્યે સાચો પ્રેમ છે, એની વાત મનુષ્યને સ્પર્શતી જ હોય છે, ભલે એ વાત અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય.
ભવદેવ મુનિએ આત્મસાક્ષીએ નિર્ણય કરીને કહ્યું :
‘નાગિલા, તું સુશીલા મહાસતી તો છે જ, પરંતુ એથીય પણ વિશેષ છે મારા માટે. તેં મારા ૫૨ મહાન ઉપકાર કર્યો છે... મને સન્માર્ગમાં સ્થિર કરીને......
‘એવું ન બોલો મુનિરાજ! આપ મહાન છો. હું તો આપનાં ચરણોની રજ છું. આપ સંયમધર્મમાં સ્થિર બની ગયા, તેથી હું ધન્ય બની ગઈ, કૃતાર્થ બની 21...'
‘હું આજે જ અહીંથી પાછો સ્થવિર મુનિવરો પાસે જવા નીકળીશ. પરંતુ અહીં આવ્યો છું તો... સ્નેહીજનોને મળી લઉં... ઘણાં વર્ષે તેઓ મને જોઈને આનંદિત થશે...'
ના રે ના, કોણ છે એવાં સ્નેહીજનો અહીં? સ્નેહીજન તો તેઓ કહેવાય
For Private And Personal Use Only