________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઙ
એક રાત અનેક વાત
કે જેઓ આત્મહિતનો વિચાર કરે. કોણ છે એવાં સ્નેહીજનો? કોઈનેય મળવાની જરૂર નથી. આપ તો અહીંથી જ સીધા કાકંદી તરફ પ્રયાણ કરો. ગુરુજનો પાસે પહોંચી જાઓ... ચારિત્રધર્મનું વિશુદ્ધ પાલન કરો અને આત્માનંદના મહોદધિમાં લીન બનો.'
‘તું હવે શું કરીશ?’
હું પણ એક-બે દિવસમાં ઘરનાં કામ સમેટીને સાધ્વીજી પાસે જઈને ચારિત્રધર્મ અંગીકાર કરીશ. હવે મારે કોના માટે રહેવું છે ઘરમાં? બસ, આપની રાહ જોતી હતી,.. આપનાં દર્શન થઈ ગયાં... હવે આપની પાછળ જ આપના જ માર્ગે ચાલી આવું છું...
ભવદેવ મુનિ ગામની બહાર આવેલા જિનમંદિરમાં ગયા. પરમાત્માની સ્તવના કરી અને કાકંદી તરફ પ્રયાણ કર્યું. સ્થવિર મુનિવરો પાસે જઈ, હૃદય ખોલીને પોતાની માનસિક મોહ-વિકલતા કહી દીધી. સ્થવિર મુનિવરોએ જે પ્રાયશ્ચિત્ત આપ્યું તેનો સ્વીકાર કર્યો. વર્ષો સુધી શ્રેષ્ઠ સાધુજીવન જીવ્યા.
એક દિવસ તેમનું આયુષ્ય પૂર્ણ થયું. તેઓ પહેલા દેવલોકમાં દેવ થયા. ઇન્દ્ર જેવા તેજસ્વી, ઇન્દ્ર જેવા વૈભવશાળી!
For Private And Personal Use Only