Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૮ ]
ધર્મબિન્દુ
શકાય. આ વિશેષ ધર્મ યતિ ધર્મની અપેક્ષાએ તો સામાન્ય છે, તે વાત ભૂલવી જોઈએ નહી.
તેમાં ગ્રન્થકાર પોતે જ સામાન્ય ગૃહસ્થધર્મનું આ પ્રકરણના અંત સુધી વિવેચન કરે છે.
ન્યાય સંપન્ન વૈભવ :तत्र सामान्यतो गृहस्थधर्मः कुलक्रमगतमनिन्द्यं विभवाघेपक्षया न्यायतोऽनुष्ठानमिति ॥३॥
અથ–-કુળ પરંપરાથી આવેલું, અનિંઘ અને પિતાના વૈભવની અપેક્ષાએ ન્યાયયુક્ત જે અનુષ્ઠાન, તે સામાન્યપણે ગૃહસ્થ ધર્મ કહી શકાય. | ભાવાર્થ-કુળપરંપરાથી ચાલી આવેલું એ વિશેષણ મુકી એમ જણાવ્યું કે જે આચાર વિચાર વંશ પરંપરાથી ચાલત આવતો હોય અને તે શુદ્ધ હોય તે તેને ત્યાગ કરવો નહિ, તેમજ જે જે ક્રિયા શ્રાવક–ગૃહસ્થ કરે તે અનિંઘ જોઈએ. જે કાર્ય સજજને નિંદવા ગ્ય ગણે છે, જેથી આ જગતમાં મનુષ્ય અપકીર્તિ પામે છે, તેવું કાય' તેણે કરવું જોઈએ નહિ.
નિંઘ કાર્યને નિષેધ જણાવી, પ્રશંસા યોગ્ય કાર્ય કરવાની આવશ્યકતા શાસ્ત્રકાર જણાવે છે. વળી પિતાની સ્થિતિને પણ વિચાર કરો. કેટલાક મનુષ્ય પોતાની સ્થિતિ હર રૂપિઆના વ્યાપારની હેય, તે છતાં દશ હજારને વ્યાપાર કરે તો, તેમાં કોઈ સમયે મેટું નુકશાન થઈ જાય, માટે તે વ્યાપાર નહિ કરવાની ભલામણ કરતાં જણાવે છે કે, ન્યાયથી જ વ્યાપાર કરવો. પિતાને ઉચિત વ્યાપાર કદાપિ અન્યાયથી કરે નહિ. ખોટા તોલ, માપ વિશ્વાસઘાત બોલી ફરી જવું, ખોટા દસ્તાવેજ કરવા, તથા બેટી સાક્ષીઓ પુરવી એ સર્વનું ન્યાયયુક્ત શબ્દથી વર્જન કર્યું. જે મનુષ્ય