Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૨૪૦ ]
ધમબિન્દુ નિદૈ લેક” તેવો બિભત્સ શબ્દ બેલનાર પિતાનું હલકાપણું પ્રકટ કરે છે; તેથી લેકે તેને વિશ્વાસ કરતા નથી.
૨. નિન્દવાયોગ્ય નેત્રના વિકારની ચેષ્ટાને કકુએ કહે છે.
ભાટ ભવૈયા, ભાંડ લેકે આંખના ચેનચાળા અને હાવભાવથી જેનારના મનમાં કામ પ્રદીપ્ત કરે છે તેવા પ્રકારની આંખની આકૃતિ, શ્રાવકે ન કરવી.
શ્રાવકે એવા વચન બોલવા કે જેથી લોકેને હાસ્ય ઉત્પન્ન ન થાય અને શ્રાવકે પોતાને યોગ્ય જવા સ્થાને જવું જોઈએ, અને બેસવા યોગ્ય સ્થાને બેસવું જોઈએ.
માણસના મુખ, અને આંખ ઉપરથી તેના હૃદયમાં રહેલા ભાવની ખબર પડે છે. કહ્યું છે કે,
'Face is an index to the heart માણસને ચહેરે તેના હૃદયના ભાવને સૂચક છે.
માટે કામને ઉત્પન્ન કરનારા હાવભાવ આંખ વડે ન કરવા... કામી પુરૂષની આંખ પરખાયા વિના રહેતી નથી, અને એવા માણ સોને કે સ્ત્રીઓના સંબંધમાં વિશ્વાસ કરતું નથી, અને તેની હલકી છાપ પડે છે. આપણામાં કહેવત છે કે “એની આંખજ કહી આપે છે કે તે કામી છે, અથવા ક્રોધી છે, અથવા વિશ્રવાસ કરવા. લાયક નથી” માટે તેવી દષ્ટિ ન રાખવી.
આ બે અતિચાર પ્રમાદથી ઉત્પન્ન થાય છે, માટે પ્રમાદને. ત્યાગ કરવો.
મુખરતા–આ અતિચારનું બીજુ નામ પાપોપદેશ છે. નિલ.. જજપણે, અસભ્ય, અસત્ય અને સંબંધ વિનાના વચન બેલવાં તે મુખરતા કહેવાય. આવાં વચનથી સાંભળનાર પાપકર્મો કરવા. પ્રવૃત્ત થાય છે, માટે તેવાં વચન આ વ્રતધારી શ્રાવકે બોલવાં નહિ. - નિર્લજજ વચને નિર્લજજ કર્મ કરવા માટે પ્રેરે છે.