Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
અધ્યાય-૮
[ ૪૬ પકાર જે બીજે કઈ માર્ગ નથી; કારણ કે પરોપકારથી વિશેષ સુખ મળે છે, અને વિશેષ સુખવાળે વિશેષ પરેપકાર કરવા સમર્થ થાય છે. હવે આ વિષયની સમાપ્તિ કરવા ઈચ્છતા શાસ્ત્રકાર લખે છે કે –
ત્તિ પરંપરાથરમિતિ | ૨૬I અર્થ–માટેજ તીર્થંકર પદ બીજાનું ઉત્કૃષ્ટ કલ્યાણ કરનારૂં છે.
ભાવાથS:–તીર્થકરના વચનથી મોહાંધકાર ટળે છે, તેથી સૂમ પદાર્થો અને ભાવ તુરત સમજાય છે અને તેની શ્રદ્ધા થાય છે, પછી તે આદરવામાં આવે છે, તેથી અનર્થનો નાશ થાય છે, અને સુખને ઉદ્ભવ થાય છે, સુખથી પરોપકાર થાય છે. પરોપકારથી વિશેષ સુખ મળે છે. એ પ્રમાણે ઉત્તરોત્તર વિશેષ સુખ પ્રાપ્ત કરતાં કરતાં અંતે મેક્ષ મળે છે, માટેજ તીર્થંકરપદને બીજાનું ઉત્કૃષ્ટ કલ્યાણ કરનારૂં ગણવામાં આવ્યું છે.
હવે તીર્થકર અને ચરમદેહી સામાન્ય કેવળીને સામાન્ય એવું “ધર્મનું ફળ શાસ્ત્રકાર કહે છે –
भवोपग्राहिकर्मविराम इति ॥२६॥ - અર્થ- પગ્રહ કર્મનો નાશ થાય છે.
ભાવાર્થ –ભવને મદદ કરનારા એટલે જન્મના સહાયકારી એવા આયુ, નામ, ગોત્ર અને વેદનીય કર્મને ચૌદમા ગુણસ્થાનકને અંતે તીર્થકર કે સામાન્ય કેવળીના સંબંધમાં નાશ થાય છે.
તતઃ નિર્વાઇનમનનતિ ૨૭ અર્થ–પછી નિર્વાણ પામે છે.
ભાવાથ–સર્વ ઉપાધિઓને દેહને નાશ થતાં પિતાના સ્વરૂપનું ભાન થાય છે, તે સ્થિતિને નિર્વાણ અવસ્થા અથવા મોક્ષ